શોધખોળ કરો

ચોથા ક્વાર્ટરમાં ટાટાની દિગ્ગજ કંપની TCSને થયો 11,392 કરોડ રૂપિયાનો નફો, જાણો રોકાણકારો માટે શું કરી મોટી જાહેરાત

TCSના CEO અને MD રાજેશ ગોપીનાથને પરિણામો પર જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં અમારી મજબૂત વૃદ્ધિ ખૂબ જ સંતોષકારક છે

TCS Q4 Results: દેશની સૌથી મોટી IT કંપની TCS (Tata Consultancy Services) એ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ચોથા ક્વાર્ટરમાં TCS નો ચોખ્ખો નફો 14.8 ટકા વધીને રૂ. 11,392 કરોડ નોંધાયો હતો. અગાઉ ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો રૂ. 10,846 કરોડ હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં TCSની આવકમાં 16.9 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ચોથા ક્વાર્ટરમાં TCSની આવક 59,162 કરોડ રૂપિયા હતી. જ્યારે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં આવક રૂ. 50,591 કરોડ હતી. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર વચ્ચેની આવક રૂ. 58,229 કરોડ હતી. 2022-23માં TCSની આવક બજારની અપેક્ષા કરતાં સારી રહી છે, જોકે નફો અપેક્ષા કરતાં ઓછો રહ્યો છે. જોકે, ચોથા ક્વાર્ટરમાં આવક અને નફો બંને બજારના અંદાજ કરતાં ઓછા છે.

TCSએ તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 24ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. TCSના CEO અને MD રાજેશ ગોપીનાથને પરિણામો પર જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં અમારી મજબૂત વૃદ્ધિ ખૂબ જ સંતોષકારક છે. અમારી ઓર્ડર બુકની મજબૂતાઈ અમારી સેવાઓ માટેની માંગની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે અને અમને મધ્યમ ગાળામાં વૃદ્ધિ માટે આગળનો માર્ગ બતાવે છે. કૃતિ અને હું સાથે મળીને એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે આગામી થોડા મહિનામાં નેતૃત્વનું સંક્રમણ અમારા તમામ હિસ્સેદારો માટે સરળ અને સીમલેસ હોય અને TCS આગળની તકોનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે.

TCSના CEO અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને આ પરિણામોને ખૂબ જ પ્રોત્સાહક ગણાવ્યા છે. જોકે, રાજેશ ગોપીનાથને ગયા મહિને જ TCSના વડા પદેથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ 1 જૂનથી કે. કૃતિવાસન લેવાના છે.

TCSના ચીફ એચઆર ઓફિસર મિલિંદ લક્કડે કહ્યું કે અમે હાલમાં જ નેશનલ ક્વોલિફાઈડ ટેસ્ટ પૂરી કરી છે જેમાં 6 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. અમે 46,000 ઑફર્સ જારી કરી છે. ચોથા ક્વાર્ટરમાં TCSના હેડકાઉન્ટમાં 821નો વધારો થયો છે. જ્યારે છેલ્લા 12 મહિનામાં IT સેવાઓનો એટ્રિશન રેટ 20.1 ટકા હતો, તે ત્રિમાસિક ધોરણે ઘટીને 4.2 ટકા થયો છે. તેમણે કહ્યું કે આ કોરોના પહેલાના સ્તર પર આવશે.

કંપનીએ જણાવ્યું કે ચોથા ક્વાર્ટરમાં કંપનીની ઓર્ડર બુક $10 બિલિયન હતી. જ્યારે 2022-23માં કુલ ઓર્ડર બુક $34 બિલિયન હતી. અગાઉ, TCSનો શેર 0.87 ટકાના વધારા સાથે રૂ. 3241 પર બંધ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget