શોધખોળ કરો

February 1: એક ફેબ્રુઆરીથી થશે આ પાંચ ફેરફારો, તમારા ખિસ્સા પર થશે અસર

February 1:દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેને રજૂ કરશે.

February 1: દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેને રજૂ કરશે. બજેટની સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ થવાના છે. આની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ખાસ કરીને નાણાકીય બાબતોને લગતા આ ફેરફારો સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. ચાલો જાણીએ કે 1 ફેબ્રુઆરીથી કયા ફેરફારો લાગુ થશે.

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર

LPG સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સુધારેલા ભાવ જાહેર કરે છે. આની અસર સામાન્ય જનતા પર પડે છે. હવે જોવાનું એ રહે છે કે 1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે LPG ગેસના ભાવ વધે છે કે ઘટે છે. જાન્યુઆરીમાં કેટલાક ફેરફારો બાદ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

UPI ટ્રાન્જેક્શન સંબંધિત નવા નિયમો

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI હેઠળ થતા કેટલાક ટ્રાન્જેક્શનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 1 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવનારા આ નવા નિયમો હેઠળ ખાસ અક્ષરો ધરાવતા UPI ટ્રાન્જેક્શન આઇડી સ્વીકારવામાં આવશે નહીં. હવે ફક્ત આલ્ફા-ન્યુમેરિક (અક્ષરો અને સંખ્યાઓ) ટ્રાન્જેક્શન ID માન્ય રહેશે. જો કોઈપણ ટ્રાન્જેક્શનમાં અન્ય કોઈ પ્રકારનો ID હશે તો તે નિષ્ફળ જશે.

મારુતિ સુઝુકીએ કારના ભાવ વધાર્યા

દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને 1 ફેબ્રુઆરીથી તેના વિવિધ મોડેલોના ભાવમાં 32,500 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારને કારણે જે મોડેલોની કિંમતો બદલાશે. આમાં અલ્ટો K10, S-Presso, Celerio, Wagon R, Swift, Dzire, Brezza, Ertiga, Ignis, Baleno, Ciaz, XL6, Francox, Invicto, Jimny અને Grand Vitaraનો સમાવેશ થાય છે.

બેન્કિંગ નિયમોમાં ફેરફાર

કોટક મહિન્દ્રા બેન્કે તેની કેટલીક સેવાઓ અને ચાર્જમાં ફેરફારની જાહેરાત કરી છે. આ 1 ફેબ્રુઆરી, 2025 થી અમલમાં આવશે. આમાં મુખ્ય ફેરફારો એટીએમ વ્યવહારોની મફત મર્યાદામાં ઘટાડો અને અન્ય બેન્કિંગ સેવાઓ પરના ચાર્જમાં વધારો હોઈ શકે છે. આ ફેરફારો બેન્કના ગ્રાહકોને અસર કરશે અને તેમણે આ નવા ફી માળખા સાથે તેમની બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરવો પડશે.

ATF ના ભાવમાં ફેરફાર

1 ફેબ્રુઆરીથી એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ATFના ભાવમાં સુધારો કરે છે. જો આ વખતે ભાવમાં વધારો થશે તો તેની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા પર પડશે.

Budget Expectations: પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? બજેટમાં થઇ શકે છે આ સાત મોટી જાહેરાતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget