શોધખોળ કરો

આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવું ફાયદામાં, 8 ટકાથી વધુ મળે છે વ્યાજ, જાણો આ યોજનાઓ વિશે  

એવા ઘણા રોકાણકારો છે જેઓ ઇક્વિટી ફંડમાં રોકાણ કરવા માંગતા નથી અને જોખમ લેવાનું ટાળે છે. તેઓ એવા રોકાણ ઈચ્છે છે જે સમયસર નિશ્ચિત વળતર આપે.

Small Savings Schemes: એવા ઘણા રોકાણકારો છે જેઓ ઇક્વિટી ફંડમાં રોકાણ કરવા માંગતા નથી અને જોખમ લેવાનું ટાળે છે. તેઓ એવા રોકાણ ઈચ્છે છે જે સમયસર નિશ્ચિત વળતર આપે. આ માટે પોસ્ટ ઓફિસ સ્કીમ અથવા સ્મોલ સેવિંગ્સ સ્કીમ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ યોજનાઓમાં રોકાણ કરીને, તમે કોઈપણ સંભવિત કટોકટી માટે માત્ર નાણાં એકત્ર કરી શકતા નથી, પરંતુ બચતના તમારા લક્ષ્યને પણ પૂર્ણ કરી શકો છો. આટલું જ નહીં, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ, તેમાં રોકાણ કરવાથી 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ પણ મળે છે. આજે આ સમાચારમાં અમે તમને એવી જ કેટલીક નાની બચત યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રોકાણકારોને વળતરની સાથે નફો પણ આપે છે.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ હેઠળ, 4 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે અને એકાઉન્ટ ખોલવા માટે લઘુત્તમ રકમ 500 રૂપિયા છે.


નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ

નેશનલ સેવિંગ્સ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી.  તમે રૂપિયા 100 અથવા 1000 રૂપિયાના ગુણાંકમાં પૈસા જમા કરાવી શકો છો. જેમાં એક વર્ષની ડિપોઝિટ પર 6.9 ટકા, બે વર્ષની ડિપોઝિટ પર 7 ટકા, ત્રણ વર્ષની ડિપોઝિટ પર 7.1 ટકા અને પાંચ વર્ષની ડિપોઝિટ પર 7.5 ટકાના દરે વ્યાજ મળે છે.

નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ અમાઉન્ટ 

તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને આ ટેક્સ બચત રોકાણ માટે અરજી કરી શકો છો. તે 100 રૂપિયાથી પણ શરૂ કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ ઉપલી મર્યાદા નથી. 1 જાન્યુઆરીથી તેના પર 6.7 ટકા વ્યાજ પણ મળશે.


નેશનલ સેવિંગ મંથલી ઈનકમ એકાઉન્ટ

આમાં પણ ખાતામાં રૂપિયા 1000ના ગુણાંકમાં પૈસા જમા કરાવી શકાય છે, જેના પર વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. આમાં, એક ખાતામાં રોકાણની મહત્તમ રકમ 9 લાખ રૂપિયા છે, જ્યારે સંયુક્ત ખાતામાં રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા છે.

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ 

આમાં ખાતું ખોલનારા રોકાણકારોને વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. તમે ઓછામાં ઓછા રૂ. 500 સાથે ખાતું ખોલાવી શકો છો, જ્યારે નાણાકીય વર્ષમાં રોકાણની મહત્તમ રકમ રૂ. 1.5 લાખ છે.

સીનિયર સિટીજન સેવિંગ સ્કીમ એકાઉન્ટ

વૃદ્ધાવસ્થામાં લાંબા ગાળાના રોકાણ માટે રચાયેલ આ સ્કીમમાં પ્રથમ વખત 31મી માર્ચ/30મી સપ્ટેમ્બર/31મી ડિસેમ્બરના રોજ ડિપોઝિટની તારીખથી વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે અને ત્યારબાદ 1લી એપ્રિલ, 1લી જુલાઈ, 1લી ઓક્ટોબર અને 1લી જાન્યુઆરીએ વ્યાજ ચૂકવવાપાત્ર થશે. આમાં 1,000 રૂપિયાથી પણ રોકાણ કરી શકાય છે, જ્યારે 1,000 રૂપિયાના ગુણાંકમાં તમે આ સ્કીમમાં 30 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ ખાતું

આ સ્કીમ હેઠળ તમે 250 રૂપિયાથી બચત શરૂ કરી શકો છો. સ્કીમ હેઠળ જમા રકમ પર 8.2 ટકા વ્યાજ મળે છે. આમાં તમે એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

કિસાન વિકાસ પત્ર (KVP)

આ સ્કીમ હેઠળ, તમે 1000 રૂપિયા સાથે ખાતું ખોલાવી શકો છો, જ્યારે રોકાણ માટે કોઈ ઉચ્ચ મર્યાદા નથી. તે વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપે છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ વાર્ષિક 7.7 ટકા વ્યાજ આપે છે. આમાં રોકાણની લઘુત્તમ મર્યાદા 1000 રૂપિયા છે, જ્યારે મહત્તમ કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget