શોધખોળ કરો

Air India પર કોણે લગાવ્યો $1.4 મિલિયનનો દંડ, મુસાફરોને $121.5 મિલિયન પણ રિફંડ કરવા પડશે - જાણો કેમ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને સોમવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એ છ એરલાઇન્સમાં સામેલ છે જેને મુસાફરોને કુલ $600 મિલિયન રિફંડ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Air India: ટાટા ગ્રુપની માલિકીની દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાને આંચકો લાગ્યો છે. યુએસ સરકારે એર ઈન્ડિયા પર 1.4 મિલિયન ડોલરનો દંડ લગાવ્યો છે. આ સિવાય એર ઈન્ડિયાને મુસાફરોને 12.15 મિલિયન ડોલર પરત કરવા પણ કહેવામાં આવ્યું છે. જાણો આખરે શા માટે આ દંડ અને રિફંડનો ઓર્ડર આવ્યો છે.

એર ઈન્ડિયાને શા માટે દંડ કરવામાં આવ્યો અને રિફંડ ઓર્ડર મળ્યો

કોવિડ-19 રોગચાળા દરમિયાન, એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અથવા તેમના સમયપત્રકમાં ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટના પૈસા રિફંડ કરવામાં વિલંબને કારણે એર ઈન્ડિયાને દંડ કરવામાં આવ્યો છે અને રિફંડ ઓર્ડર આવ્યા છે. જો કે, રિફંડમાં વિલંબના આ કિસ્સાઓ ટાટા જૂથ દ્વારા એર ઈન્ડિયાના ટેકઓવર પહેલાના છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનું કહેવું છે કે એર ઈન્ડિયાની રિફંડ પોલિસી હેઠળ મુસાફરોને તેમના રિફંડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ કારણોસર એર ઈન્ડિયાને પેસેન્જરોને પૈસા પાછા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દંડ પણ ભરવો પડશે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન 6 એરલાઇન્સને રિફંડનો આદેશ આપે છે

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને સોમવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એ છ એરલાઇન્સમાં સામેલ છે જેને મુસાફરોને કુલ $600 મિલિયન રિફંડ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એર ઈન્ડિયા ઉપરાંત ફ્રન્ટિયર, TAP પોર્ટુગલ, એરો મેક્સિકો, EI AI અને Avianca Airlinesને પણ યુએસ સરકારે દંડ ફટકાર્યો છે.

અધિકારીઓએ શું કહ્યું

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે એર ઈન્ડિયા દ્વારા મુસાફરોને 'વિનંતી પર રિફંડ'ની જોગવાઈ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનની નીતિઓની વિરુદ્ધ છે. અમેરિકી સરકારે એક નિયમ બનાવ્યો છે કે ફ્લાઇટ કેન્સલ અથવા બદલાવના કિસ્સામાં, એરલાઇનને કાયદેસર રીતે પેસેન્જરની ટિકિટના પૈસા પાછા આપવા પડશે. વિભાગીય તપાસમાં જાણવા મળ્યું છે કે એર ઈન્ડિયાએ અડધાથી વધુ રિફંડ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં 100 દિવસના નિર્ધારિત સમય કરતાં વધુ સમય લીધો હતો.

એર ઈન્ડિયાને રિફંડ આપવાનો આદેશ કેમ આપવામાં આવ્યો?

એક સત્તાવાર તપાસ મુજબ, એર ઈન્ડિયાને પરિવહન વિભાગમાં દાખલ કરવામાં આવેલી 1900 રિફંડ ફરિયાદોમાંથી અડધાથી વધુને ઉકેલવામાં 100 દિવસથી વધુ સમય લાગ્યો હતો. આ રિફંડ એ ફ્લાઈટ્સ માટે આપવાનું રહેશે જે એર ઈન્ડિયાએ કાં તો રદ કરી છે અથવા તેમના સમય અને સમયપત્રકમાં મોટા ફેરફારો કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget