શોધખોળ કરો

Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

સુરતના ભાજપના નેતા દીપિકા પટેલના આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવારજનોએ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી હતી

Surat: સુરતમાં ભાજપના મહિલા નેતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સુરત શહેરમાં વોર્ડ નંબર-30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. 34 વર્ષીય મહિલા નેતાના નિધનથી ભાજપમાં શોકનો માહોલ છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાજપના નેતા દીપિકા પટેલના આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવારજનોએ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી હતી. ચિરાગ પટેલ અને આકાશ પટેલ પર પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા. તે બંનેએ મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પોલીસને જાણ કરવાના બદલે મૃતદેહ નીચે ઉતાર્યો હતો.સુરતમાં ભાજપ મહિલા નેતાએ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. અલથાણામાં વોર્ડ નં.30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ત્યારે પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે દિપિકા પટેલે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા થઈ છે. પરિવારજનોનું કહેવું છે કે ઘટના સમયે ઘરમાં માત્ર બાળકો અને કોર્પોરેટર ચિરાગ પટેલ અને આકાશ પટેલ હાજર હતા. બન્નેએ પહેલા પોલીસને જાણ કરવાની જગ્યાએ મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પરિવારજનો આ ઘટનામાં તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે.

આ મામલે સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે નિવેદન આપ્યું હતું કે હત્યા કરવામાં આવી હોય તેવા કોઈ આક્ષેપ મૃતકના પતિએ કર્યા નથી. મૃતકના પતિ સાથે તમામ બાબતે ચર્ચા કરવામાં આવી છે. પરિવારજનોને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. પોસ્ટમોર્ટમ બાદ જે રિપોર્ટ આવશે તેને આધારે પોલીસ કાર્યવાહી કરશે. હાલ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે.

મૃતક મહિલાના સંબંધી મિનેષ પટેલના જણાવ્યા પ્રમાણે બનાવ સમયે દિપીકાબેનના પતિ ઘરે ન હતા પરંતુ તેમના છોકરાઓ ઘરે હતા. દિપીકાબેને આપઘાત કરી લેવાના મેસેજ મળતા ચિરાગ સોલંકી અને આકાશ નામના વ્યક્તિઓ ત્યા પહોચ્યા હતા. જેમાં ચિરાગ સોલંકી દિપીકાબેન સાથે નગર સેવક તરીકે કામ કરતો હતો.           

સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ લથડી હતી તબિયત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget