શોધખોળ કરો

Air India-Vistara Merger:વિસ્તારાનો એર ઇન્ડિયામાં થશે વિલય, CCIએ આપી મંજૂરી, જાણો સંપૂર્ણ ડિટેઇલ

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયા-વિસ્તારાના વિલીનીકરણ માટે મંજૂરી આપી છે. જો કે, આ પરવાનગી અમુક શરતોને આધીન છે

Air India-Vistara Merger:કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ટાટા ગ્રૂપની એવિએશન કંપનીઓ એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલીનીકરણ માટે મંજૂરી આપી દીધી છે. જો કે, આ પરવાનગી અમુક શરતોને આધીન છે. વિસ્તારાના વિલીનીકરણ બાદ એર ઈન્ડિયા હવે દેશની બીજી સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન અને સૌથી મોટી ઈન્ટરનેશનલ એરલાઈન બની ગઈ છે.

ઉલ્લેખનિય છે કે,  વિસ્તારા એરલાઈન્સને ટાટા એસઆઈએ એરલાઈન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ટાટા સન્સ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ છે. એર ઈન્ડિયા અને વિસ્તારા વચ્ચે ચાર મહિના પહેલા ઈન્ટરલાઈન ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ચાર મહિના પહેલા એર ઈન્ડિયાએ વિસ્તારા એરલાઈન્સ સાથે ઈન્ટરલાઈન ભાગીદારી કરી હતી. આ ભાગીદારી હેઠળ, પ્રસ્થાનના પ્રથમ બિંદુએ બંને એરલાઇન્સ માટે સમગ્ર પ્રવાસ માટેના બોર્ડિંગ પાસ ઉપલબ્ધ થશે. તમે તમારા પ્રથમ પોઈન્ટ પર તમારા સામાનને પણ ચેક-ઈન કરી શકશો,

એર ઈન્ડિયા અને વિસ્તારાનું મર્જર 2024 સુધીમાં થઈ જશે
એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સ 2024 સુધીમાં મર્જ થઈ જશે. નવી ફર્મમાં ટાટા 74.9% અને સિંગાપોર એરલાઈન્સ (SIA) 25.1% હિસ્સો ધરાવે છે. નવી પેઢીનું નામ AI-વિસ્તારા-AI એક્સપ્રેસ-એરએશિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (AAIPL) રાખવામાં આવશે. ટાટા સન્સ અને SIAએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 2024 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

એર ઈન્ડિયા અને વિસ્તારા પાસે કુલ 218 વાઈડબોડી અને નેરોબોડી એરક્રાફ્ટ છે, જે 38 આંતરરાષ્ટ્રીય અને 52 સ્થાનિક સ્થળોએ સેવા આપે છે. વિસ્તારા એ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ વચ્ચેનું 51:49નું સંયુક્ત સાહસ છે.તેની સ્થાપના 2013 માં કરવામાં આવી હતી અને તે મધ્ય પૂર્વ, એશિયા અને યુરોપમાં આંતરરાષ્ટ્રીય કામગીરી સાથે ભારતની અગ્રણી સંપૂર્ણ સેવા વાહક છે. મર્જર પછી, એર ઈન્ડિયા એકમાત્ર ભારતીય એરલાઈન જૂથ હશે, જે સંપૂર્ણ સેવા અને ઓછી કિંમતની પેસેન્જર સેવા બંનેનું સંચાલન કરશે.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget