શોધખોળ કરો

Ambaji Prasad: મોહનથાળ મુદ્દે મહાભારત યથાવત, કોગ્રેસ પણ મેદાને, ચલો યાત્રા ધામ અંબાજી કાર્યક્રમ કરાશે શરૂ

અંબાજી મંદીરમા મોહનથાળના પ્રસાદને લઈ વિવાદ હજુ પણ યથાવત છે. આ મુદ્દે કોંગ્રેસ પણ પણ મેદાને છે અને મોહનથાળ પ્રસાદને જ યથાવત રાખવા સખત શબ્દોમાં રજૂઆત કરી હતી.

Ambaji Prasad:અંબાજી મંદીરમા મોહનથાળના પ્રસાદને લઈ વિવાદ હજુ પણ યથાવત છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પણ પણ મેદાને છે અને મોહનથાળ પ્રસાદને જ યથાવત રાખવા રજૂઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે, ભાજપ નિર્ણય ફેરવી તોળે છે.. સંમેત શિખર યાત્રાધામને પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ થયેલા વિરોધ ના પગલે તેને ફરી યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું... આવી જ રીતે મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા ના વિરોધમાં કોંગ્રેસ ગામેગામ કાર્યક્રમો કરશે...ગામે ગામ મંદિરે મોહનથાળ ધરાવાશે અને ચલો યાત્રા ધામ અંબાજી કાર્યક્મ કરાશે..

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!"

મોહનથાળ પ્રસાદ મામલે વહીવટીતંત્ર અને સરકારનાં નિર્ણયનાં વિરોધમાં #VHP નાં આહવાનથી ભાવિભકતો અને હિંદૂ સમાજ પણ મેદાને છે. વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી અશોક રાવલે સરકારના આ નિર્ણય સામે વિરોધ કરતા જણાવ્યું કે,. અંબાજી મંદિર એ કોઈ પેઢી નથી કે મન ફાવે તેમ કરશે. આ મનમાનીના  નિર્ણય માન્ય નહિ રાખી શકાય.  

Recipe:અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની ચર્ચા વચ્ચે, જાણો, ઘરે સ્વાદિષ્ટ મોહનથાળ બનાવવાની રેસિપી

Recipe:અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થવાની તૈયારીમાં.છે.જો કે મોહનથાળના પ્રસાદની વર્ષો જુની પરંપરાને યથાવતા રાખવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે ઘર પર સ્વાદિષ્ટ કરકરો મોહનથાળ કેવી રીતે બનાવવો તેની જાણીએ.  મોહનથાળ એ ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે. દિવાળી, જન્માષ્ટમીના અવસરે ગુજરાતી રસોડામાં અચૂક બને છે. તો જાણીએ ઘરે કેવી રીતે બનાવીશું સ્વાદિષ્ટ મોહનથાળ જાણીએ

 સામગ્રી :

  • 5 કપ ચણાનો લોટ
  • 1/2 કપ ખાંડ
  • 1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ
  • દૂધ
  • ઘી
  • થોડા ડ્રાયફ્રૂટ્સ

મોહનથાળ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. લોટને ચાળીને લેવો, બેસન પણ લઇ શકાય અથવા ઘરે દળેલ કરકરો ચણાનો લોટ પણ લઇ શકાય. લોટમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરો, સાથે એક ચમચી જેટલું સહેજ ગરમ કરેલ હુંફાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો.
  • ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં બેસનનું મિશ્રણ અને એલચી પાવડર ઉમેરીને આ મિશ્રણને આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકવું.
  • ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ લો તેમાં  ખાંડથી અડધું પાણી ઉમેરો. બે તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.
  • ત્યારબાદ ચણાના લોટનું મિશ્રણ ઠડું થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડું દૂધ નાખી દો જેનાથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.
  • સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને હવે એક પ્લેટને ઓઇલ કે ઘીથી ગ્રીસ કરી લો તેમાં શેકલા લોટને ઢાળી દો. થાળીમાં તેને બરાબર સેટ કરો અને બાગ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો, બાદ તેના સુંદર આકારમાં ચાસ પાડીને ટૂકડા કરી દો, તૈયાર છે સ્વાદિષ્ટ કરકરો દાણેદાર મોહનથાળ તૈયાર છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી જામશે ચોમાસું
Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી જામશે ચોમાસું
Banaskantha: મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને, ત્રણ તાલુકા સિવાયના ખેડૂતો બાકાત રખાતા આંદોલનની ચીમકી
Banaskantha: મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને, ત્રણ તાલુકા સિવાયના ખેડૂતો બાકાત રખાતા આંદોલનની ચીમકી
પેન્શનધારકો માટે RBI ની મોટી રાહત, વધુ પેન્શન જમા થઈ જાય તો પણ બેંક તમારી મંજૂરી વિના એક રૂપિયો નહિ કાપી શકે
પેન્શનધારકો માટે RBI ની મોટી રાહત, વધુ પેન્શન જમા થઈ જાય તો પણ બેંક તમારી મંજૂરી વિના એક રૂપિયો નહિ કાપી શકે
રાજ્યસભા સાંસદ તરીકે પરિમલ નથવાણીએ લીધા શપથ, બોલ્યા- ઝારખંડના વિકાસ માટે કરીશ કામ
રાજ્યસભા સાંસદ તરીકે પરિમલ નથવાણીએ લીધા શપથ, બોલ્યા- ઝારખંડના વિકાસ માટે કરીશ કામ

વિડિઓઝ

Morbi Accident News: મોરબીના હળવદ નજીક વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
વેનેઝુએલામાં વિનાશકારી ભૂકંપ, રાજધાની કારાકાસમાં વ્યાપક નુકસાન
Rajkot | જસદણનું આલ્ફા ટ્રેનિંગ સેન્ટર આવ્યું વિવાદમાં, બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો આરોપ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકન્ડના ધરતીકંપે સર્જી ભીષણ તબાહી
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકન્ડના ધરતીકંપે સર્જી ભીષણ તબાહી
Embed widget