![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
H3N2: વધતાં જતાં કેસ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ વ્યક્ત કરી ચિંતા, આપ્યા બચાવ માટેના આ સૂચનો
હાલ દિવસોમાં H3N2 ને લઈને દેશમાં મોટો ભય છે. દેશના અનેક જિલ્લામાં ગંભીર લક્ષણો સાથે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. દરમિયાન, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપે બચાવ માટે કેટલાક ઉપાય આપ્યાં છે.
![H3N2: વધતાં જતાં કેસ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ વ્યક્ત કરી ચિંતા, આપ્યા બચાવ માટેના આ સૂચનો Covid appropriate behaviour a must to tackle h3n2 virus says randeep guleria H3N2: વધતાં જતાં કેસ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ વ્યક્ત કરી ચિંતા, આપ્યા બચાવ માટેના આ સૂચનો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/17/0e7c3908d2957b50e1247e58961e4b16167903133197381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
H3N2:હાલ દિવસોમાં H3N2 ને લઈને દેશમાં મોટો ભય છે. દેશના અનેક જિલ્લામાં ગંભીર લક્ષણો સાથે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. દરમિયાન, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપે બચાવ માટે કેટલાક ઉપાય આપ્યાં છે.
નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે, H3N2 વાયરસથી થતા ઈન્ફલ્યુએન્ઝાના વધતા જતા કેસોનો સામનો કરવા માટે કોવિડ-ફ્રેંડલી વર્તન કરવું જોઈએ. ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે આ સાવચેતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે ડૉ. ગુલેરિયાની વાતને એકંદરે સમજીએ તો તેઓ કહે છે કે H3N2 થી બચવા માટે આપણે ફરી એકવાર માસ્ક પહેરવા જોઈએ, સાબુ અને પાણીથી નિયમિત હાથ ધોવા જોઈએ અથવા આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય, જો તે ખૂબ જ મહત્વપૂર્ણ ન હોય, તો બજારોમાં ભીડ ન કરો અને ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર રાખો.
ડો.ગુલેરિયા કહે છે કે, “ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ ખાસ કરીને સાવધાન રહેવું જોઈએ. જો તેઓ બહાર જાય છે, તો તેઓએ માસ્ક પહેરવું જોઈએ. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો. ખાસ કરીને જો તે એવી જગ્યાએ જઈ રહ્યો હોય જ્યાં વેન્ટિલેશન નબળું હોય તો ત્યાં ઈન્ફેક્શન થવાની શક્યતાઓ વધુ હોય છે. નિયમિતપણે હાથ ધોવાનું રાખો અને લોકોથી શારીરિક અંતર જાળવી રાખો. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઘટાડો થવા લાગશે. પરંતુ ઈન્ફલ્યુએન્ઝા અને કોરોનાવાયરસ બંને ફેલાતા રહેશે, આપણે સાવચેત રહેવું પડશે. અમારી પાસે આ બંને માટે રસી છે, તેથી લોકોએ રસી લેવી જોઈએ”.
કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો
ડૉ. ગુલેરિયાએ કહ્યું, મને નથી લાગતું કે, H3N2 અને કોવિડમાં થયેલા વધારા વચ્ચે કોઈ સંબંધ છે. તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે કે છેલ્લા બે વર્ષમાં ઓછા ઈન્ફલ્યુએન્ઝાનું કારણ લોકોમાં મોજૂદ કુદરતી રોગપ્રતિકારક શક્તિ હતી. બીજું કારણ એ છે કે, છેલ્લા બે વર્ષથી, જ્યાં સુધી રેસ્પિરેટરીનો સંબંધ હતો. કોવિડ પ્રમુખ વાયરસ હતો.
દરમિયાન, ડૉ. ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોવિડ અમુક અંશે વધશે, કારણ કે અમે યોગ્ય વર્તનનું પાલન નથી કરી રહ્યા, તેથી ચેપ ફેલાવાની શક્યતાઓ વધારે છે. પરંતુ મને લાગે છે કે આપણે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે અને મહત્વની બાબત એ છે કે જો તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો, તો કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના ગંભીર કેસોમાં કોઈ વાસ્તવિક વધારો થયો નથી. હળવો રોગ રહેશે. પરંતુ તેના કેસ શૂન્ય નહીં હોય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)