શોધખોળ કરો

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

પાકિસ્તાનના પૂર્ણ રાષ્ટ્રપતિ પરવેજ મુશરર્ફનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. તેઓ દુબઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પાકિસ્તાન મીડિયા મુજબ તેમને આજે દુબઇ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પરવેઝ મુશર્રફનું નિધન. પાકિસ્તાની મીડિયાએ સૂત્રો દ્રારા આ અહેવાલ મળ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. દુબઈની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.પરવેઝ મુશર્રફ ગંભીર બીમારીઓનો શિકાર હતા. મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ આર્મી ચીફ પણ રહી ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સમાં મુશર્રફના પરિવારના સભ્યોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એમીલોઇડિસના કારણે આજે તેમનું અવસાન થયું છે. તેઓ થોડા અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ હતા. 1999માં સફળ લશ્કરી બળવા પછી પરવેઝ મુશર્રફ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રના 10મા રાષ્ટ્રપતિ હતા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે (05 ફેબ્રુઆરી) નિધન થયું. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં જન્મેલા મુશર્રફનું ભારત સાથેનું જોડાણ હતું. 1947ના ભાગલા દરમિયાન તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. આ પહેલા તેમનો આખો પરિવાર રાજધાની દિલ્હીમાં રહેતો હતો. તેની માતાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં અભ્યાસ કર્યો હતો.

પરવેઝ મુશર્રફના જન્મના ચાર વર્ષ બાદ જ તેમના પરિવારે ભાગલા સમયે પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમનો આખો પરિવાર ભાગલાના થોડા દિવસ પહેલા પાકિસ્તાન પહોંચી ગયો હતો. વિભાજન પહેલા મુશર્રફનો પરિવાર ભારતમાં ઘણો સમૃદ્ધ હતો. તેમના પિતા અંગ્રેજ શાસનમાં મોટા અધિકારી હતા. તેમનો પરિવાર રાજધાનીમાં લગભગ દરેક જણ ઓળખતો હતો. મુશર્રફ પરિવારની જૂની દિલ્હીમાં મોટી કોઠી હતી. હવે ઘણા પરિવારો જૂની દિલ્હીમાં તેમના આ હવેલી જેવા મકાનમાં રહે છે.

 માતા બેગમ ઝરીનનો દિલ્હી સાથે લગાવ

પરવેઝ મુશર્રફની માતા બેગમ ઝરીન મુશર્રફને ભારત પ્રત્યે ખૂબ લગાવ છે અને કેમ નહીં. તેણે તે દિવસો અહીં વિતાવ્યા છે જે દરેક યુવતીને યાદ રહે  છે. કોલેજના દિવસો કોણ ભૂલી શકે.  તેણે અહીં કોલેજ કરી હતી,.  2005માં પણ જ્યારે તેની માતા ભારતની મુલાકાતે આવી હતી ત્યારે તેણે લખનૌ, દિલ્હી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી અને  તેના જૂના દિવસો યાદ કર્યાં હતા. તેમના સમગ્ર પરિવારની ઘણી યાદો છે જે ભારતની રાજધાની દિલ્હી સાથે જોડાયેલી છે. ઝરીન 1940માં અહીં ભણતી હતી.

કેવી રીતે  થયું પરવેઝ મુશર્રફનું મૃત્યુ?

પરવેઝ મુશર્રફે એમાયલોઇડિસ સાથે લાંબી લડાઈ લડી હતી. આ એક દુર્લભ રોગ છે જે ત્યારે થાય છે જ્યારે એમીલોઇડ નામનું પ્રોટીન શરીરના અવયવોમાં જમા થાય છે. આ પ્રોટીનને કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ રોગથી હૃદય, કિડની, લીવર, બરોળ, ચેતાતંત્ર સૌથી વધુ પ્રભાવિત થાય છે. મુશર્રફ લાંબા સમયથી આ બીમારીનો સામનો કરી રહ્યા હતા અને દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pakistan: પાકિસ્તાનમાં પેટ્રૉલ 458 રૂપિયા, ડીઝલ 520 રૂપિયાને પાર, છતાં પોતાના આકા અમેરિકાને ક્રૂડ ઓઇલ પહોંચાડી રહ્યું છે PAK
Pakistan: પાકિસ્તાનમાં પેટ્રૉલ 458 રૂપિયા, ડીઝલ 520 રૂપિયાને પાર, છતાં પોતાના આકા અમેરિકાને ક્રૂડ ઓઇલ પહોંચાડી રહ્યું છે PAK
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Embed widget