શોધખોળ કરો

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

પાકિસ્તાનના પૂર્ણ રાષ્ટ્રપતિ પરવેજ મુશરર્ફનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. તેઓ દુબઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પાકિસ્તાન મીડિયા મુજબ તેમને આજે દુબઇ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પરવેઝ મુશર્રફનું નિધન. પાકિસ્તાની મીડિયાએ સૂત્રો દ્રારા આ અહેવાલ મળ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. દુબઈની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.પરવેઝ મુશર્રફ ગંભીર બીમારીઓનો શિકાર હતા. મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ આર્મી ચીફ પણ રહી ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સમાં મુશર્રફના પરિવારના સભ્યોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એમીલોઇડિસના કારણે આજે તેમનું અવસાન થયું છે. તેઓ થોડા અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ હતા. 1999માં સફળ લશ્કરી બળવા પછી પરવેઝ મુશર્રફ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રના 10મા રાષ્ટ્રપતિ હતા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે (05 ફેબ્રુઆરી) નિધન થયું. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં જન્મેલા મુશર્રફનું ભારત સાથેનું જોડાણ હતું. 1947ના ભાગલા દરમિયાન તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. આ પહેલા તેમનો આખો પરિવાર રાજધાની દિલ્હીમાં રહેતો હતો. તેની માતાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં અભ્યાસ કર્યો હતો.

પરવેઝ મુશર્રફના જન્મના ચાર વર્ષ બાદ જ તેમના પરિવારે ભાગલા સમયે પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમનો આખો પરિવાર ભાગલાના થોડા દિવસ પહેલા પાકિસ્તાન પહોંચી ગયો હતો. વિભાજન પહેલા મુશર્રફનો પરિવાર ભારતમાં ઘણો સમૃદ્ધ હતો. તેમના પિતા અંગ્રેજ શાસનમાં મોટા અધિકારી હતા. તેમનો પરિવાર રાજધાનીમાં લગભગ દરેક જણ ઓળખતો હતો. મુશર્રફ પરિવારની જૂની દિલ્હીમાં મોટી કોઠી હતી. હવે ઘણા પરિવારો જૂની દિલ્હીમાં તેમના આ હવેલી જેવા મકાનમાં રહે છે.

 માતા બેગમ ઝરીનનો દિલ્હી સાથે લગાવ

પરવેઝ મુશર્રફની માતા બેગમ ઝરીન મુશર્રફને ભારત પ્રત્યે ખૂબ લગાવ છે અને કેમ નહીં. તેણે તે દિવસો અહીં વિતાવ્યા છે જે દરેક યુવતીને યાદ રહે  છે. કોલેજના દિવસો કોણ ભૂલી શકે.  તેણે અહીં કોલેજ કરી હતી,.  2005માં પણ જ્યારે તેની માતા ભારતની મુલાકાતે આવી હતી ત્યારે તેણે લખનૌ, દિલ્હી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી અને  તેના જૂના દિવસો યાદ કર્યાં હતા. તેમના સમગ્ર પરિવારની ઘણી યાદો છે જે ભારતની રાજધાની દિલ્હી સાથે જોડાયેલી છે. ઝરીન 1940માં અહીં ભણતી હતી.

કેવી રીતે  થયું પરવેઝ મુશર્રફનું મૃત્યુ?

પરવેઝ મુશર્રફે એમાયલોઇડિસ સાથે લાંબી લડાઈ લડી હતી. આ એક દુર્લભ રોગ છે જે ત્યારે થાય છે જ્યારે એમીલોઇડ નામનું પ્રોટીન શરીરના અવયવોમાં જમા થાય છે. આ પ્રોટીનને કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ રોગથી હૃદય, કિડની, લીવર, બરોળ, ચેતાતંત્ર સૌથી વધુ પ્રભાવિત થાય છે. મુશર્રફ લાંબા સમયથી આ બીમારીનો સામનો કરી રહ્યા હતા અને દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget