શોધખોળ કરો

Sasan Gir: ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં તોતિંગ વધારો

Sasan Gir: સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.

Sasan Gir: ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે 6 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપરોક્ત માહિતી પૂરી પાડી હતી.

 નિવેદન મુજબ શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીને વધારવા અને લાંબા ગાળા માટે તેને ટકાવવા માટેની મુખ્ય પ્રજાતિઓ જેમ કે હરણ અને સાબરના સંવર્ધન કેન્દ્રોને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે. શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પધ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે. 

સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે. મંત્રીના નિવેદન મુજબ સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ઊભા પાકના ખેતરોમાં જંગલી પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે સૌર સંચાલિત ઇલેક્ટ્રિક ફેન્સ, બાયો-ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ વગેરે જેવા અવરોધો ઊભા કરવા, પસંદગીના સિંહોની હિલચાલ અને વર્તનની પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે રેડિયો કોલરિંગ તેમજ સંઘર્ષ વગેરેના કિસ્સામાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી પ્રાણીઓને ખસેડવા માટે ટ્રેકર્સ અને બચાવ ટીમો તૈનાત કરવી. તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાના કામો હાથ ધરવામાં આવે છે, માનવ ઇજાઓ/જાનહાનિ તેમજ પશુઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

કયા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા

  • ગીરમાં સિંહોના શિકાર લાયક એવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા
  • સિંહોના વિચરણ વિસ્તારોની આસપાસ પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં
  • સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર તેમના સ્થળાંતરને પહોંચી વળવા માટે ગીર અને તેની આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે કે કેમ 
  • સિંહોના માનવ વિસ્તારોમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો 

આ  પણ વાંચો...

Surat: સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
લોન્ચ પહેલા જ Google Pixel 9aના  ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ  આવી સામે
લોન્ચ પહેલા જ Google Pixel 9aના ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ આવી સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hospital Scam: રાજકોટ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર, કોણે કર્યા વીડિયો અપલોડ?Bhanuben Babriya:કેબિનેટ મંત્રી ભાનુબેન થયા ઈજાગ્રસ્ત, દુપટ્ટામાં લાગી ગઈ હતી આગ | Abp AsmitaBanaskantha Weather News: વાતાવરણમાં આવ્યો પલટો, તૈયાર પાકમાં ભારે નુકસાનીની શક્યતાઓIndian Deport From USA: ગેરકાયદે ભારતીય વસાહતીઓને હથકડી બાંધીને કરાયા ડિપોર્ટ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
લોન્ચ પહેલા જ Google Pixel 9aના  ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ  આવી સામે
લોન્ચ પહેલા જ Google Pixel 9aના ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ આવી સામે
Cricket: સામાન્ય નથી ચેમ્પિયન્સ ટ્રૉફીઃ લાગેલું છે સોનું-ચાંદી, હીરા પણ જડ્યા છે ત્યારે થાય છે તૈયાર, જુઓ વીડિયો
Cricket: સામાન્ય નથી ચેમ્પિયન્સ ટ્રૉફીઃ લાગેલું છે સોનું-ચાંદી, હીરા પણ જડ્યા છે ત્યારે થાય છે તૈયાર, જુઓ વીડિયો
PM Kisan Yojana: આવી ગઇ તારીખ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે તમારા એકાઉન્ટમાં
PM Kisan Yojana: આવી ગઇ તારીખ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે તમારા એકાઉન્ટમાં
World Anthropology Day: વિજ્ઞાન મુજબ કોણ હતો વિશ્વનો પ્રથમ માણસ, હોમો હેબિલિસ-હોમો સેપિયન્સ કે બીજું કોઈ?
World Anthropology Day: વિજ્ઞાન મુજબ કોણ હતો વિશ્વનો પ્રથમ માણસ, હોમો હેબિલિસ-હોમો સેપિયન્સ કે બીજું કોઈ?
ફક્ત 10,000 રૂપિયામાં ઘરે લઇ જાઓ દુનિયાની પ્રથમ CNG બાઇક, દર મહિને આપવી પડશે આટલી EMI
ફક્ત 10,000 રૂપિયામાં ઘરે લઇ જાઓ દુનિયાની પ્રથમ CNG બાઇક, દર મહિને આપવી પડશે આટલી EMI
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.