શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત સરકારે ક્લાસ 1ના કયા 84 અધિકારીઓની કરી બદલી? કયા અધિકારીને કયા ખાતામાં મુકાયા? જુઓ લિસ્ટ
ગુજરાત સરકારે સચિવાલયના ક્લાસ 1ના કુલ 84 અધિકારીઓની બદલી કરી છે. આ આદેશમાં એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની બદલીઓ કરવામાં આવી છે.
![ગુજરાત સરકારે ક્લાસ 1ના કયા 84 અધિકારીઓની કરી બદલી? કયા અધિકારીને કયા ખાતામાં મુકાયા? જુઓ લિસ્ટ Class 1 Officer transfer in Sachivalay in Gujarat ગુજરાત સરકારે ક્લાસ 1ના કયા 84 અધિકારીઓની કરી બદલી? કયા અધિકારીને કયા ખાતામાં મુકાયા? જુઓ લિસ્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/05134939/Sachivalay.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે સચિવાલયના ક્લાસ 1ના કુલ 84 અધિકારીઓની બદલી કરી છે. આ આદેશમાં એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની બદલીઓ કરવામાં આવી છે. આ 84 અધિકારીઓ પૈકી 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે 60 ઉપ સચિવ અધિકારીઓની નાયબ સચિવ તરીકે બઢતી આપીને તેમની બદલી કરવામાં આવી છે.
બદલી કરવામાં આવેલ આદેશ પ્રમાણે, અધિક સચિવ કે.બી.શાહને માર્ગ મકાન વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે બી.એન.એરડાની નર્મદા નિગમમાં બદલી કરવામાં આવી છે. આર.એમ.છત્રપતિની સ્પીપા અમદાવાદમાં બદલી કરાઈ છે. વી.ટી.મંડોરાની પાણી પૂરવઠામાં બદલી કરાઈ છે. ડી.બી.પરમારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં બદલી કરાઈ છે.
એમ.ડી.શાહની ઉદ્યોગ અને ખાણવિભાગમાં બદલી કરાઈ છે. એ.એન.મનસુરીની મહેસૂલ વિભાગમાં બદલી કરાઈ છે. એમ.એચ.ખુમારની રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરાઈ છે. ભરત વૈષ્ણવની ગૃહ વિભાગમાં બદલી કરાઈ છે. એચ.બી.મારડીયાની પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં બદલી કરાઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)