શોધખોળ કરો

Gandhinagar: રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને સરકારે આપી દિવાળી ભેટ, લાખો રેશનકાર્ડ ધારકોને થશે લાભ

ગાંધીનગર: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.

ગાંધીનગર: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.  પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આનાથી ​૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને લાભ તશે.

જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી ૩૨ લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ ૧ કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂ.૧૫ અને રૂ.૨૨ પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે. તેમજ તમામ ૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ ૧ લીટર સીંગતેલ રૂ.૧૦૦/-ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે. આ યોજના હેઠળ ઑક્ટોબર-૨૦૨૨ માટે ૭૧ લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ ૧ કિ.ગ્રા. ઘઉં તથા ૪ કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા.૧૫/૧૦/૨૦૨૨ થી શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.

ઈમ્પેક્ટ ફીને લઈને ગુજરાત સરકારે બહાર પાડ્યો વટહુકમ

ઈમ્પેક્ટ ફીને લઈને આજે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મંત્રી જીતુ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી છે. અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. આ અંગે વાઘાણીએ કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન ન થાય અને જનતાને ફાયદો થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 1-10-2022 પહેલાંના બાંધકામોને જ સરકારની આ જાહેરાતનો લાભ મળશે. શહેરી વિસ્તારોમાં આ નિર્ણય લાગુ થશે. મંત્રી વધુમાં કહ્યું કે, રેરાના કાયદાના કિસ્સામાં આ વટહુકમ લાગુ નહીં પડે.  આ ઉપરાંત 50 ટકા પાર્કિંગ ફરજીયાત રહેશે. આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળમાં ઈમ્પેક્ટ ફીની રકમ જમા થશે. ઈમ્પેક્ટ ફીની રકમમાંથી જે તે શહેરમાં આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ખર્ચાશે આ રૂપિયા. ઈ પોર્ટલ પરથી આવતી કાલે ઓનલાઈન અરજી અને ફી ભરી શકાશે.
 
ઈમ્પેક્ટ ફીના દર રાજ્ય સરકારે નક્કી કર્યા

રહેણાંક અને અનઅધિકૃત બાંધકામ માટે ફી નિયત કરવામાં આવી છે. 50થી 100 ચો.મી. સુધી 6 હજાર ફી નિયત કરાઈ છે. 100થી 200 ચો.મી. સુધી 12 હજાર રૂપિયા ફી નિયત કરવામાં આવી છે. વાણિજ્યક અનઅધિકૃત બાંધકામ માટે ઈમ્પેક્ટ ફીના રહેણાંક કરતા બમણા નક્કી કરાયા છે. આ ઉપરાંત અરજી કરવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અરજીની તારીખથી 6 મહિના સુધીમાં અરજી મંજુર કે નામંજુર કરવામી રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Health Tips: ઈંડા ખાવાથી હૃદય રહે છે સ્વસ્થ અને અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટે છે, સંશોધનમાં મોટો ખુલાસો
Health Tips: ઈંડા ખાવાથી હૃદય રહે છે સ્વસ્થ અને અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટે છે, સંશોધનમાં મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Health Tips: ઈંડા ખાવાથી હૃદય રહે છે સ્વસ્થ અને અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટે છે, સંશોધનમાં મોટો ખુલાસો
Health Tips: ઈંડા ખાવાથી હૃદય રહે છે સ્વસ્થ અને અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટે છે, સંશોધનમાં મોટો ખુલાસો
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Embed widget