શોધખોળ કરો

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા સરકારની મુશ્કેલી વધશે, જૂની પેન્શન યોજનાને લઈ રસ્તા પર ઉતર્યા કર્મચારીઓ

ગાંધીનગર: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ અને ધારણા કર્યા હતા.

ગાંધીનગર: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ અને ધારણા કર્યા હતા. અગાઉથી નક્કી થયેલા 3 કલાકના પ્રતીક ધરણાં બાદ સૌ છુટ્ટા પડ્યા હતા અને આગામી 2 દિવસોમાં આગામી રણનીતિ જાહેર કરશે. નવી પેન્શન યોજના હટાવી તેની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર સિસ્ટમ બંધ કરવી, 7માં પગારપંચની અમલવારી કરવી જેવી મુખ્ય માગણીઓ સાથે આગાઉ પણ સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યું હતું.

વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે કમિટી રચી મંત્રણા કરી હતી. મંત્રણાના અંતે કેટલીક બાબતોએ સમાધાન થયું હતું. પરંતુ તે સમાધાનની અમલવારી ના થતાં 18 મહિના બાદ ફરી સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી હોવાના કારણે સરકારી કર્મચારીઓ પણ જાણે છે કે સરકાર ઉપર આ સમયમાં દબાણ લાવી શકાય છે. પરિણામે આજે 12થી3 કલાક સુધી 5 હજાર જેટલા રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલા કર્મચારીઓએ ધારણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરી પોતાની માગણી વ્યક્ત કરી હતી. જોકે પોલીસની મંજૂરી ન હોવાના કારણે સત્યાગ્રહ છવનીથી જ તમામ લોકો છુટ્ટા પડ્યા હતા અને આગામી 2 દિવસોમાં કોર કમિટીની બેઠકમાં આંદોલનની આગામી રણનીતિ તૈયાર થશે બાદમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવો દાવો કર્યો હતો.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની 300 હોસ્પિટલમાં 26 ફેબ્રુઆરીથી નહીં થાય સારવાર. ખાનગી હોસ્પિટલને લેવા પેટે નીકળતા નાણાં ને કારણે આ સારવાર બંધ કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષમાં ઈન્સ્યોરંસ કંપનીઓએ હોસ્પિટલોને 300 કરોડથી વધારે નાણાં નથી ચૂકવ્યા. આ અંગે 15 દિવસ અગાઉ સરકારમાં બેઠક થઈ હતી. તો આરોગ્ય મંત્રીએ પણ પ્રશ્નના નિવેડાની ખાતરી આપી હતી. પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે 300 હોસ્પિટલમાં 26 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર નહીં થાય. ચાર દિવસની હડતાળની સૌથી વધારે ઉત્તર ગુજરાતની હોસ્પિટલમાં અસર જોવા મળશે. કેમ કે સૌથી વધારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં તબીબોને નાણાં લેવાના બાકી છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવે છે. મોટાભાગના લોકો આ યોજનાને આયુષ્માન ભારત યોજનાના નામથી જાણે છે. આ યોજના સપ્ટેમ્બર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. જેમાં દેશવાસીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. જેમાં 1350 રોગોની મફત સારવાર કરી શકાશે. સારવાર દરમિયાન દવાઓ, તબીબી ખર્ચ વગેરેનો ખર્ચ સરકાર ભોગવે છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ નબળા વર્ગના લોકોને લાભ મળે છે. આમાં ભૂમિહીન લોકો, પરિવારના કોઈપણ વિકલાંગ સભ્ય, ગ્રામીણ વિસ્તારોના લોકો, અનુસૂચિત જાતિ અથવા જનજાતિના લોકો, જેમની પાસે કચ્છના મકાનો છે, રોજિંદા મજૂરી કામ કરતા લોકો, નિરાધાર, આદિવાસી અને ટ્રાન્સજેન્ડર લોકોનો સમાવેશ થાય છે. જેઓ આ યોજના માટે પાત્ર છે તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ હોસ્પિટલમાં મફત સારવારની સુવિધા મેળવી શકે છે. પરંતુ તમે કેવી રીતે જાણી શકશો કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં? તેની પ્રક્રિયા અહીં જાણો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget