શોધખોળ કરો

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ, જાણો પ્રધાનમંત્રી મોદીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરી BJPના ધારાસભ્યોને શું અપાઈ સૂચના

Gandhinagar News: રાષ્ટ્રપતિના સંબોધન સમયે તમામ સભ્યોએ ગૃહમાં હાજર રહેવા તથા વિધેયક અને સરકારી સંકલ્પ સમયે તમામ સભ્યોએ ગૃહમાં ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી.

Gujarat Assembly: બુધવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે. 3 દિવસના બદલે 4 દિવસનું ચોમાસુ સત્ર મળશે. 13, 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ સત્ર મળશે. 9ના બદલે 10 જેટલા વિધેયક થતાં એક દિવસ વધારવામાં આવ્યો છે.  આ દરમિયાન આજે વિધાનસભાના ચોમાસું સત્ર માટે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી.  જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં 4 દિવસના ચોમાસુ સત્ર અંગે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું.

ડિજિટલ વિધાનસભામાં પ્રથમ વખત મળતા સત્ર અંગે ખાસ ઉપયોગ અંગે માહિતી અપાઈ હતી. 9 વિધેયક અંગે ક્યાં વિધાયેકમાં કેવી રીતે રજૂઆત કરવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત 2 સરકારી સંકલ્પમાં વિષય અનુસાર પોતાનો પક્ષ મૂકવા, વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના સંભવિત પ્રયાસો ખાળવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

PM મોદીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરી બોલવા અપાઈ સૂચના

બેઠકમાં ધારાસભ્યોને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિના સંબોધન સમયે તમામ સભ્યોએ ગૃહમાં હાજર રહેવા તથા વિધેયક અને સરકારી સંકલ્પ સમયે તમામ સભ્યોએ ગૃહમાં ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી. પ્રશ્નોત્તરીમાં પોતાના પ્રશ્ન સમયે ગૃહમાં અચૂક હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહમાં સંબોધન સમયે તમામ સભ્યોએ કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને પ્રધાનમંત્રીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરીને બોલવા સૂચના આપવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન તેઓ રાજ્યની ઇ-એસેબ્લીનું લોકાર્પણ કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવાના છે. 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાત વિધાનસભાની કામગીરી સંપૂર્ણ રીતે પેપરલેસ કરવામાં આવી છે. ધારાસભ્યો હવે ટેબલેટથી પોતાના પ્રશ્નો રજૂ કરતા જોવા મળશે.

ગુજરાત વિધાનસભા બુધવારથી શરૂ થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે.  13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકું સત્ર હશે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં બે બિલ રજૂ કરવામાં આવશે. તેમાં મેડિકલ યુનિવર્સિટી બિલ અને કોમન યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ!Hun To Bolish : હું તો બોલીશ : વકફના વિવાદનું સત્ય શું?Ahmedabad Hit and Run: અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, Audio ViralAhmedabad News: અમદાવાદ મનપાની બેદરકારી, પાણી વગરના ફૂવારામાં મરી ગઈ માછલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
Embed widget