શોધખોળ કરો

આવતી કાલે આખા ગુજરાતમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ રહેશે બંધ? જાણો શું છે કારણ?

વેક્સિનનેશનનાં શરૂઆતી તબક્કામા દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. ત્યાર બાદ સઘન વેક્સિનનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન આપવાંનું નક્કી કરાયું હતું.

ગાંધીનગરઃ આવતી કાલે આખા રાજ્યમાં વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોનાં કારણે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રહેશે. આ ઉપરાંત વેક્સિનનો સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ આવતી કાલે બુધવારે વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. 

દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી નહીં.  વેક્સિનનેશનનાં શરૂઆતી તબક્કામા દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. ત્યાર બાદ સઘન વેક્સિનનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન આપવાંનું નક્કી કરાયું હતું.

વડોદરામાં આજે 80 વેકસીન કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલું છે. ગઈ કાલે 8000 ડોઝ કોવેકસીન અને 8000 કોવિસીલ્ડના ડોઝ આવ્યા હતા. આવતી કાલે રસીકરણની કામગીરી રહેશે બંધ. કોવિડ પહેલા દર બુધવારે મમતા દિવસ મુજબ કામગીરી થતી હતી. એ જ આશયથી આવતી કાલે રાબેતા મુજબ મમતા દિવસની કામગીરી કરાશે.

કોવિડ સંક્રમણમાં મમતા દિવસની કામગીરી બંધ રખાતી હતી. મમતા દિવસમાં 0 થી 2 વર્ષ ના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈ પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિત ની કામગીરી કરાશે. દર બુધવારે રૂટિન અને રાબેતા મુજબ ની મમતા દિવસની કામગીરીને કારણે રસીકરણ બંધ રહેશે.

રાજકોટમાં વેક્સીનને લઈ ફરી એક વખત ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. આજે વેક્સીનેસનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો થયો છે. 45 સેસન સાઈટ પર માત્ર 6000 વેકસીનના ડોઝ ઉપલબ્ધ છે. 400 કોવેકસીન જ્યારે 5600 કોવીસીલ્ડ વેકસીનનો જથ્થો ઉપલબ્ધ છે. આવતી કાલે રાજકોટ શહેરમાં વેકસીનેસન બંધ રહેશે. રૂટિન ઇમ્યુનાઇઝેશનના લીધે વેકસીનેસન રહેશે બંધ.

ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62  કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 194 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2333 છે. જે પૈકી 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 194 દર્દીઓ સ્વસ્થ થયા હતા. 

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,491 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા છે. અત્યાર સુધીમાં 2,71,07,405 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. 

આજે અમદાવાદ કોર્પોરેશમાં 14, સુરત કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, નવસારી 3, રાજકોટ કોર્પોરેશન 3, ભરુચ 2, ગીર સોમનાથ 2, સુરત 2, વડોદરા 2, વલસાડ 2, અમદાવાદ 1, અમરેલી 1, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, જામનગર કોર્પરેશન 1, જુનાગઢ 1, ખેડા 1,પંચમહાલ 1 અને સાબરકાંઠા 1 કેસ નોંધાયો છે. 

આજે અમદાવાદ કોર્પોરેશમાં 76, સુરત કોર્પોરેશનમાં 23, વડોદરા કોર્પોરેશનમાં 10, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 6 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2333 છે. જે પૈકી 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 194 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા છે. અત્યાર સુધીમાં 2,71,07,405 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 225 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ જ્યારે 8321 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 થી વધારેની ઉંમરના 51298 લોકોને રસીનો પ્રથમ જ્યારે 85670 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે 18-45 વર્ષથી વધારેની ઉંમરના 148486 લોકોએ રસીનો પ્રથમ અને 5680 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 2,99,680 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,71,07,405 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
Embed widget