શોધખોળ કરો

Gandhinagar: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે જમીન ખરીદીમાં નહીં પડે અગવડ

Gandhinagar: વિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો.

ગાંધીનગર: રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી.  
 
મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા  પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે. 
 
તદ્અનુસાર, રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.૨૬/૧૨/૨૦૦૮ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે.
 
જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના   હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવાઅંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
 
આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. 
 
આ પણ વાંચો...
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોતSurendranagar Accident : લીંબડી હાઈવે પર ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 6ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 
Gandhinagar:  ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Embed widget