Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં મંત્રી બનવા આ દિગ્ગજે મોટા હોદ્દા પરથી આપી દીધું રાજીનામું, જાણો વિગત
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તીથ સ્પીકરપદ છોડનારા વર્તમાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે એ નક્કી છે.
![Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં મંત્રી બનવા આ દિગ્ગજે મોટા હોદ્દા પરથી આપી દીધું રાજીનામું, જાણો વિગત Gujarat New Cabinet Ministers List : Rajendra Trivedi give resignation from assembly speaker Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં મંત્રી બનવા આ દિગ્ગજે મોટા હોદ્દા પરથી આપી દીધું રાજીનામું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/11/24131823/3-chhota-udepur-former-sp-baranda-gets-bjp-ticket-for-gujarat-assembly-election-20174.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી ફોન આવવા માંડ્યા છે ત્યારે બીજી તરફ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું ધરી દીધું છે. ત્રિવેદીને કેબિનેટ મંત્રી બનાવાય એવી શક્યતા છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તીથ સ્પીકરપદ છોડનારા વર્તમાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે એ નક્કી છે.
કોણ કોણ બનશે મંત્રી?
નરેશ પટેલ, ગણદેવી
હર્ષ સંઘવી, મજૂરા
કિરીટસિંહ રાણા, લીંબડી
કનુભાઈ દેસાઇ, પારડી
બ્રિજેશ મેરજા, મોરબી
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ઋષુકેશ પટેલ, વિસનગર
મુકેશ પટેલ, ઓલપાડ
જગદીશ પંચાલ, નિકોલ
ડો.નીમાબેન આચાર્ય, ભૂજ
કુબેર ડીંડોર, સંતરામપુર
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
પ્રદીપ પરમાર, અસારવા
નિમિષા સુથાર, મોરવા હડફ
ભુપેન્દ્ર પટેલના નવામંત્રીમંડળને લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને મંત્રી બનવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સિવાય કનુભાઈ દેસાઇને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને હર્ષ સંઘવીને પણ મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.
નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 7, કચ્છના એક, અમદાવાદ અને મધ્ય ગુજરાતના 6, ઉત્તર ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુલ 24થી 26 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લેશે. તમામ ધારાસભ્યો હાલ એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે. આગામી એક કલાકમાં મંત્રી તરીકેના શપથ લેવાના છે, તેમને ફોનથી જાણકારી આપી દેવામાં આવશે. લિસ્ટ એક કલાકમાં જીએડી અને રાજભવનનેને મોકલી આપવામાં આવશે. 3 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)