શોધખોળ કરો
માણસાઃ ગૃહમંત્રી અમિત શાહ કુળદેવીના ચરણોમાં, નવરાત્રીના બીજા દિવસે સહપરિવાર કરી પૂજા
નવરાત્રીના બીજા દિવસે અમિત શાહ સહપરિવાર માણસા પહોંચ્યા હતા. તેમણે અહી કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યાં હતા

નવી દિલ્હીઃકેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. નવરાત્રીના બીજા નોરતે અમિત શાહ પરિવાર સાથે પૈતૃક ગામ માણસા પહોંચ્યા હતા અને કુળદેવીના દર્શન અને આરતી કરી હતી. નોંધનીય છે કે અમિત શાહ નવરાત્રી દરમિયાન અચૂક માણસા આવી પોતાની કુળદેવી બહુચર માતાજીના દર્શન કરે છે.
મળતી જાણકારી અનુસાર, નવરાત્રીના બીજા દિવસે અમિત શાહ સહપરિવાર માણસા પહોંચ્યા હતા. તેમણે અહી કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યાં હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ સાથે આરતીમાં તેમનો પુત્ર જય શાહ પણ જોડાયો હતો. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ માણસામાં માતાજીની આરતી કરવા માટે આવતા હોય છે. આ અગાઉ અમિત શાહે અમદાવાદના વસ્ત્રાલ ખાતે આયોજિત આરએએફ (RAF) (રેપિડ એક્શન ફોર્સ)ની ર૭મી વર્ષગાંઠની ઉજવણીના આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાદમાં નવા વાડજ ખાતે સાબરમતી વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.नवरात्रि के पावन अवसर पर आज अपने पैतृक गाँव माणसा (गुजरात) में बहुचर माता के दर्शन कर आरती में भाग लिया। माता रानी सभी पर अपनी कृपा बनाये रखें...जय माता दी! pic.twitter.com/BcrEM8ZzKd
— Amit Shah (@AmitShah) September 30, 2019
અમદાવાદ ખાતે રૈપિડ એક્શન ફોર્સના 27માં સ્થાપના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @AmitShahની વિશેષ ઉપસ્થિતિમાં તથા માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpની ઉપસ્થિતિમાં પરેડ કાર્યક્રમ યોજાયો. + pic.twitter.com/Zg9oVF6l9J
— BJP Gujarat (@BJP4Gujarat) September 30, 2019
વધુ વાંચો






















