શોધખોળ કરો

Teachers Day 2024: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને પુષ્પાંજલિ અર્પણ કરી

Teachers Day 2024: ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

Teachers Day 2024: ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એ દેશના સંવિધાનને કેન્દ્રસ્થાને રાખી દેશને નવી દિશા આપવાનું કામ રાષ્ટ્રપતિ હતા તે સમયે કર્યું હતું. આજે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ એક મહાન તત્વચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસથી દુર તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. રાધાકૃષ્ણન બાળપણથી જ ભણવામાં હોશિયાર હતાં. તેમણે ૧૮ વર્ષની વયે સ્નાતક અને ૨૧ વર્ષની વયે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

વર્ષ - ૧૯૦૯માં રાધાકૃષ્ણને દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા હતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ દર્શનશાસ્ત્ર પર લેખ લખતા હતાં. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. ભારતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિની સેવા આપ્યા બાદ તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ સુધી વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા હતા. આ ઉપરાંત શ્રી રાધાકૃષ્ણનને ટેમ્પલટન એવોર્ડ, ભારતરત્ન, તેમજ અન્ય અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.     

શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે ૦૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઇન્ચાર્જ સચિવ સી.બી.પંડ્યા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

આ પણ વાંચો...

Teachers Day 2024: અમરેલીના આ શિક્ષકે સંગીતથી શિક્ષણ બનાવ્યું સરળ, બાઇક પર બનાવી હરતી ફરતી શાળા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather: નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો  અંબાલાલ પટેલે શું કરી સ્પષ્ટતા
Weather: નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો અંબાલાલ પટેલે શું કરી સ્પષ્ટતા
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
દૂધ,પનીર,તેલ,સાબુથી લઈને ટીવી અને ફ્રીજ સુધી... નવરાત્રિના પહેલા દિવસથી જ સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
દૂધ,પનીર,તેલ,સાબુથી લઈને ટીવી અને ફ્રીજ સુધી... નવરાત્રિના પહેલા દિવસથી જ સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
સોફ્ટ ડ્રીન્ક્સથી લઈને સીગારેટ સુધી, પહેલા નોરતેથી 40 સ્લેબના કારણે મોંઘી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
સોફ્ટ ડ્રીન્ક્સથી લઈને સીગારેટ સુધી, પહેલા નોરતેથી 40 સ્લેબના કારણે મોંઘી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Land Dispute: શેરથામાં મંદિરની જમીન બારોબાર વેચાઈ જતા લોકોમાં આક્રોશ | abp Asmita LIVE
Gandhinagar Murder Case: ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા કેસમાં મોટા સમાચાર
Ambalal Patel Rain Forecast: નવરાત્રિમાં નડશે વરસાદનું વિઘ્ન: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
Surat Rain Update: સુરતમાં સવારે ખાબકેલા ધોધમાર વરસાદથી જળબંબાકાર | Abp Asmita LIVE
H-1B Visa News: અમેરિકાએ H1B- વીઝાના નવા નિયમોને લઈને ઉભું થયેલું કન્ફ્યુઝન કર્યું દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો  અંબાલાલ પટેલે શું કરી સ્પષ્ટતા
Weather: નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો અંબાલાલ પટેલે શું કરી સ્પષ્ટતા
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
દૂધ,પનીર,તેલ,સાબુથી લઈને ટીવી અને ફ્રીજ સુધી... નવરાત્રિના પહેલા દિવસથી જ સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
દૂધ,પનીર,તેલ,સાબુથી લઈને ટીવી અને ફ્રીજ સુધી... નવરાત્રિના પહેલા દિવસથી જ સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
સોફ્ટ ડ્રીન્ક્સથી લઈને સીગારેટ સુધી, પહેલા નોરતેથી 40 સ્લેબના કારણે મોંઘી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
સોફ્ટ ડ્રીન્ક્સથી લઈને સીગારેટ સુધી, પહેલા નોરતેથી 40 સ્લેબના કારણે મોંઘી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
એશિયા કપમાં મોટો ઉલટફેર,બાંગ્લાદેશે 6 વખતના ચેમ્પિયન શ્રીલંકાને હરાવીને ફાઈનલ માટે દાવો કર્યો મજબૂત
એશિયા કપમાં મોટો ઉલટફેર,બાંગ્લાદેશે 6 વખતના ચેમ્પિયન શ્રીલંકાને હરાવીને ફાઈનલ માટે દાવો કર્યો મજબૂત
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
આ પૂર્વ ક્રિકેટર બની શકે છે BCCIનો અધ્યક્ષ, ફટકારી ચૂક્યો છે 27 સદી
આ પૂર્વ ક્રિકેટર બની શકે છે BCCIનો અધ્યક્ષ, ફટકારી ચૂક્યો છે 27 સદી
21 સપ્ટેમ્બર 2025 રાશિફળ: કન્યા રાશિમાં સૂર્ય-ચંદ્રનો ખતરનાક પ્રભાવ, સૂર્યગ્રહણની પણ થશે અસર
21 સપ્ટેમ્બર 2025 રાશિફળ: કન્યા રાશિમાં સૂર્ય-ચંદ્રનો ખતરનાક પ્રભાવ, સૂર્યગ્રહણની પણ થશે અસર
Embed widget