શોધખોળ કરો

રૂપાણી સરકારે ક્યા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવાની કરી જાહેરાત, જાણો લાભ લેવા શું રજૂ કરવાનું રહેશે?

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમિત થતાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને શિક્ષણમાં 50 ટકા ફી માફી સહિતની યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપવા સરકારે ઠરાવ કર્યો છે. કર્મચારીઓના સંતાનોને આવક અને પર્સેન્ટાઈલની કોઈ પણ મર્યાદા વગર યોજનાનો લાભ મળી શકશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા કોવિડ-19 અન્વયે વિવિધ ફરજો સોંપવામા આવી છે ત્યારે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો-કર્મચારીથી માંડી સરકારના કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. આ કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. સરકારે દરખાસ્ત મંજૂર કરતાં આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષે 2020-21થી ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના કોઈ પણ અભ્યાસક્રમમાં મૃતક સરકારી કર્મચારીના સંતાનને એમવાયએસવાય યોજના અંતર્ગત 50 ટકા ફી માફીનો લાભ મળશે. સરકારના ઠરાવ પ્રમાણે, કોર્પોરેશનના કર્મચારી સહિતના તમામ સરકારી કર્મચારી જો કોરોનાથી મૃત્યુ પામે તો આ યોજના હેઠળ તેમના સંતાનોને લાભ મળી શકશે. આ ઉપરાંત મૃતક કર્મચારીના સંતાનોને 80 પર્સેન્ટાઈલનો નિમય તથા 6 લાખની આવકનો નિયમ પણ લાગુ નહીં પડે. મહત્વની વાત એ છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા કે મૃત્યુ પામતા સરકારી કર્મચારીના સંતાનો માન્ય પરીક્ષામાં પાસ થયા બાદ ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે ત્યારે MYSY યોજના અંતર્ગત આવક અને પર્સેન્ટાઈલની મર્યાદા વગર લાભ આપવામાં આવશે. જોકે સહાય મેળવવા માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
Embed widget