શોધખોળ કરો

રૂપાણી સરકારે ક્યા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવાની કરી જાહેરાત, જાણો લાભ લેવા શું રજૂ કરવાનું રહેશે?

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમિત થતાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને શિક્ષણમાં 50 ટકા ફી માફી સહિતની યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપવા સરકારે ઠરાવ કર્યો છે. કર્મચારીઓના સંતાનોને આવક અને પર્સેન્ટાઈલની કોઈ પણ મર્યાદા વગર યોજનાનો લાભ મળી શકશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા કોવિડ-19 અન્વયે વિવિધ ફરજો સોંપવામા આવી છે ત્યારે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો-કર્મચારીથી માંડી સરકારના કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. આ કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. સરકારે દરખાસ્ત મંજૂર કરતાં આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષે 2020-21થી ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના કોઈ પણ અભ્યાસક્રમમાં મૃતક સરકારી કર્મચારીના સંતાનને એમવાયએસવાય યોજના અંતર્ગત 50 ટકા ફી માફીનો લાભ મળશે. સરકારના ઠરાવ પ્રમાણે, કોર્પોરેશનના કર્મચારી સહિતના તમામ સરકારી કર્મચારી જો કોરોનાથી મૃત્યુ પામે તો આ યોજના હેઠળ તેમના સંતાનોને લાભ મળી શકશે. આ ઉપરાંત મૃતક કર્મચારીના સંતાનોને 80 પર્સેન્ટાઈલનો નિમય તથા 6 લાખની આવકનો નિયમ પણ લાગુ નહીં પડે. મહત્વની વાત એ છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા કે મૃત્યુ પામતા સરકારી કર્મચારીના સંતાનો માન્ય પરીક્ષામાં પાસ થયા બાદ ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે ત્યારે MYSY યોજના અંતર્ગત આવક અને પર્સેન્ટાઈલની મર્યાદા વગર લાભ આપવામાં આવશે. જોકે સહાય મેળવવા માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
Embed widget