શોધખોળ કરો

રૂપાણી સરકારે ક્યા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવાની કરી જાહેરાત, જાણો લાભ લેવા શું રજૂ કરવાનું રહેશે?

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમિત થતાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને શિક્ષણમાં 50 ટકા ફી માફી સહિતની યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપવા સરકારે ઠરાવ કર્યો છે. કર્મચારીઓના સંતાનોને આવક અને પર્સેન્ટાઈલની કોઈ પણ મર્યાદા વગર યોજનાનો લાભ મળી શકશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા કોવિડ-19 અન્વયે વિવિધ ફરજો સોંપવામા આવી છે ત્યારે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો-કર્મચારીથી માંડી સરકારના કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. આ કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. સરકારે દરખાસ્ત મંજૂર કરતાં આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષે 2020-21થી ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના કોઈ પણ અભ્યાસક્રમમાં મૃતક સરકારી કર્મચારીના સંતાનને એમવાયએસવાય યોજના અંતર્ગત 50 ટકા ફી માફીનો લાભ મળશે. સરકારના ઠરાવ પ્રમાણે, કોર્પોરેશનના કર્મચારી સહિતના તમામ સરકારી કર્મચારી જો કોરોનાથી મૃત્યુ પામે તો આ યોજના હેઠળ તેમના સંતાનોને લાભ મળી શકશે. આ ઉપરાંત મૃતક કર્મચારીના સંતાનોને 80 પર્સેન્ટાઈલનો નિમય તથા 6 લાખની આવકનો નિયમ પણ લાગુ નહીં પડે. મહત્વની વાત એ છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા કે મૃત્યુ પામતા સરકારી કર્મચારીના સંતાનો માન્ય પરીક્ષામાં પાસ થયા બાદ ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે ત્યારે MYSY યોજના અંતર્ગત આવક અને પર્સેન્ટાઈલની મર્યાદા વગર લાભ આપવામાં આવશે. જોકે સહાય મેળવવા માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel:  72 કલાકમાં અડધું ગુજરાત થશે પાણી-પાણી, 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel:  72 કલાકમાં અડધું ગુજરાત થશે પાણી-પાણી, 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
Morbi: જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે આવશે અંત, આંદોલન પાર્ટ 3ની થશે શરુઆત
Morbi: જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે આવશે અંત, આંદોલન પાર્ટ 3ની થશે શરુઆત

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel:  72 કલાકમાં અડધું ગુજરાત થશે પાણી-પાણી, 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel:  72 કલાકમાં અડધું ગુજરાત થશે પાણી-પાણી, 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
Morbi: જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે આવશે અંત, આંદોલન પાર્ટ 3ની થશે શરુઆત
Morbi: જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે આવશે અંત, આંદોલન પાર્ટ 3ની થશે શરુઆત
Amreli Rain: અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ્પ
Amreli Rain: અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ્પ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
અગ્નિવીરોને જલદી મળી શકે છે સારા સમાચાર, 25 ટકાથી વધુ જવાનોને કરવામાં આવશે કાયમી?
અગ્નિવીરોને જલદી મળી શકે છે સારા સમાચાર, 25 ટકાથી વધુ જવાનોને કરવામાં આવશે કાયમી?
Embed widget