શોધખોળ કરો

Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર

Valsad: વરસાદ બાદ રાજ્યમાં ડેન્ગ્યુનો ડંખ લોકોને ડરાવી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લઈ રહ્યા છે.

Valsad: વરસાદ બાદ રાજ્યમાં ડેન્ગ્યુનો ડંખ લોકોને ડરાવી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ ગઈ કાલે જ સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું છે અને હવે સમાચાર સામે આવ્યા છે કે વલસાડમાં પણ ડેન્ગ્યુએ બે લોકોનો ભોગ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં બે દિવસમાં બે લોકોના ડેન્ગ્યુના કારણે મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જે બે વ્યક્તિના જીક ડેન્ગ્યુના કારણે ગયા છે તેમા એક મહિલા છે અને એક પુરુષ છે. 29 વર્ષીય કમલેશ પાંડેનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે જ્યારે એક 23 વર્ષીય યુવતીનું પણ ડેન્ગ્યુના કારણે મોત થયું છે. સારવાર દરમિયાન પ્લેટલેટ ઘટી જતા અને મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મોત થયું છે.

હાલ જિલ્લામાં ડેન્ગ્યુના 28 કેસ પોઝિટિવ છે. 07 મલેરિયાના કેસ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યા પર સર્વેન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત ચીંકનગુનિયાનો પણ 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગની કુલ 603 ટીમ કાર્યરત છે. વલસાડ જિલ્લામાં કુલ 10,274 બ્રિડિંગ સ્થળ મળી આવ્યા છે. જે મામલે 469 લોકોને નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. હાલ વધતા રોગચાળા અને ડેન્ગ્યુના  કારણે મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત 

સુરત પાલિકા સંચાલિત સ્મીમેરના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટરનું નામ ધારા ચાવડા હતું. આ અંગે સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ડો.ધારા ચાવડાને ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુના કારણે સૌ પ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં હોસ્ટેલમાં રહી તેણી સારવાર લઇ રહી હતી. જે બાદ વધુ સારવાર અર્થે પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ડેન્ગ્યુના કારણે મહિલા રેસિડેન્ટ તબીબને લીવર,મગજ અને હાર્ટ પર વધુ ગંભીર અસર થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં મહિલા તબીબનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ઘટનાને લઈ સ્મીમેર સાફ સફાઈની કામગીરી સઘન કરવામાં આવી છે. હોસ્ટેલ સહિતના સ્થળોનો રાઉન્ડ લેવામાં આવ્યો છે. આસપાસ કન્સ્ટ્રકશન સાઇટ હોવાથી વાહક જાળા અને મચ્છર જન્ય રોગોની શકયતા છે. જેથી સ્મીમેર હોસ્પિટલ અને કેમ્પસમાં દવા છંટકાવ સહિત સાફસફાઈની કામગીરી કરાઈ છે. 

આ પણ વાંચો...

Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarkantha Accident|  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોતJammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગPager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp AsmitaAmbaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
Gujarat: ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, ચાર અકસ્માતમાં ત્રણનાં મોત
Gujarat: ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, ચાર અકસ્માતમાં ત્રણનાં મોત
NPS Vatsalya Scheme: બાળકોનું પેન્શન એકાઉન્ટ, વાર્ષિક આટલા રૂપિયાનું કરી શકશો રોકાણ, જાણો યોજનાની તમામ જાણકારી
NPS Vatsalya Scheme: બાળકોનું પેન્શન એકાઉન્ટ, વાર્ષિક આટલા રૂપિયાનું કરી શકશો રોકાણ, જાણો યોજનાની તમામ જાણકારી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Embed widget