શોધખોળ કરો

Gujarat Corona: રાજ્યમાં કોરોનાના 51 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે.

ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 32 કેસ નોંધાયા છે.  રાજ્યમાં H3N2 નવા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યાં કોરોના વાયરસના કેસ પણ સતત વધવા લાગ્યા છે. 

24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 6, સુરત જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. 

Banaskantha: અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી  ચીકીનો પ્રસાદ જ વેચવાનો નિર્ણય કરાયો

ગાંધીનગર: માં અંબાના દરબારમાં હવેથી ભક્તોને ચીકીનો જ પ્રસાદ મળશે.  અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ચીકીનો પ્રસાદ જ વેચવાનો નિર્ણય કરાયો છે.  આ નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે.  પ્રવક્તા મંત્રીએ કહ્યું કે મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં લઈ શકાતો નથી.  મોહનથાળનો પ્રસાદ લાંબો સમય સુધી સાચવી પણ શકાતો નથી.  પ્રસાદ એ સ્વાદ માટે નહીં પણ પ્રસાદ માટે જ હોય છે.

બનાસકાંઠા ખાતે આવેલા જગવિખ્યાત અંબાજી મંદિરમાં જ્યારથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.

અંબાજી મંદિરમાં વર્ષોથી દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ પ્રસાદ વિવાદને લઈ નારાજ છે. ભક્તોના મતે મોહનથાળની માતાજીના પ્રસાદ તરીકે એક આગવી ઓળખ છે. જેનું સ્થાન ચીકી કે અન્ય કોઈ પ્રસાદ ન લઈ શકે.  વિધાનસભામાં શુક્રવારે કોંગ્રેસના વિધાનસભ્યોએ મોહનથાળનો પ્રસાદ બદલીને ચિક્કીનો પ્રસાદ કરવાનો વિરોધ દર્શાવ્યો હતો. બધા કોંગ્રેસી વિધાનસભ્યોએ વિધાનસભાની ગેલેરીમાં ફરી પ્રસાદમાં મોહનથાળ જ આપવાના મુદ્દે ટેકો આપ્યો હતો અને ચિક્કીના પ્રસાદનો વિરોધ કરતાં બેનર, પોસ્ટરને લઈને દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. 

રાજ્યમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી

રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
Embed widget