શોધખોળ કરો

Gujarat Corona: રાજ્યમાં કોરોનાના 51 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે.

ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 32 કેસ નોંધાયા છે.  રાજ્યમાં H3N2 નવા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યાં કોરોના વાયરસના કેસ પણ સતત વધવા લાગ્યા છે. 

24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 6, સુરત જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. 

Banaskantha: અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી  ચીકીનો પ્રસાદ જ વેચવાનો નિર્ણય કરાયો

ગાંધીનગર: માં અંબાના દરબારમાં હવેથી ભક્તોને ચીકીનો જ પ્રસાદ મળશે.  અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ચીકીનો પ્રસાદ જ વેચવાનો નિર્ણય કરાયો છે.  આ નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે.  પ્રવક્તા મંત્રીએ કહ્યું કે મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં લઈ શકાતો નથી.  મોહનથાળનો પ્રસાદ લાંબો સમય સુધી સાચવી પણ શકાતો નથી.  પ્રસાદ એ સ્વાદ માટે નહીં પણ પ્રસાદ માટે જ હોય છે.

બનાસકાંઠા ખાતે આવેલા જગવિખ્યાત અંબાજી મંદિરમાં જ્યારથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.

અંબાજી મંદિરમાં વર્ષોથી દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ પ્રસાદ વિવાદને લઈ નારાજ છે. ભક્તોના મતે મોહનથાળની માતાજીના પ્રસાદ તરીકે એક આગવી ઓળખ છે. જેનું સ્થાન ચીકી કે અન્ય કોઈ પ્રસાદ ન લઈ શકે.  વિધાનસભામાં શુક્રવારે કોંગ્રેસના વિધાનસભ્યોએ મોહનથાળનો પ્રસાદ બદલીને ચિક્કીનો પ્રસાદ કરવાનો વિરોધ દર્શાવ્યો હતો. બધા કોંગ્રેસી વિધાનસભ્યોએ વિધાનસભાની ગેલેરીમાં ફરી પ્રસાદમાં મોહનથાળ જ આપવાના મુદ્દે ટેકો આપ્યો હતો અને ચિક્કીના પ્રસાદનો વિરોધ કરતાં બેનર, પોસ્ટરને લઈને દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. 

રાજ્યમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી

રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર
Hun To Bolish : હું તો બોલીશ : મધ્યાહન ભોજન કોણે બનાવ્યું ભ્રષ્ટાચારનું માધ્યમ?
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Embed widget