'Chintan Shivir' Live Updates: નર્મદાના કેવડિયામાં રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર, મુખ્યમંત્રી મંત્રીઓ સાથે વોલ્વો બસ મારફતે થયા રવાના
આ શિબિરમાં તમામ જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ પણ ઉપસ્થિત રહેશે
LIVE

Background
મંત્રીઓ અને અધિકારીઓ નવ વોલ્વો બસ મારફતે એકતા નગર પહોંચશે
ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરતથી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટથી એમ તમામ મંત્રીઓ અને અધિકારીઓ નવ વોલ્વો બસ મારફતે ૨૧૮ જેટલા લોકો બપોરે એકતા નગર પહોંચશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર થયા રવાના
આ શિબિરમાં સામેલ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસ ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએ થી રવાના થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
