શોધખોળ કરો

સોમનાથ ટ્રસ્ટમાં નિયુક્તિને લઇ મોટા સમાચાર, જાણો સેક્રેટરી તરીકે કોની નિમણૂંક કરાઈ

PM નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વેરાવળ : દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ અને  વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નિયુક્તિને લઇને  મોટા સમાચાર સામે આવ્યાં  છે.  સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈની નિમણુંક કરવામાં આવી છે. યોગેન્દ્ર દેસાઈ યોગેન્દ્ર દેસાઈ મૂળ જૂનાગઢના છે અને CMO માં ફરજ બજાવતા હતા.સોમનાથ ટ્રસ્ટમાં પી.કે.લહેરી સેકેટરી તથા ટ્રસ્ટી બન્ને કાર્યભારમાં હતા, હવે પી.કે. લહેરી માત્ર ટ્રસ્ટી તરીકે કાર્યરત રહેશે.PM નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક 

તાજેતરમાં 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની  121મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં  સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા. કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી. સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક બિમલભાઇ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી.

આ સાથે જ તિર્થ પુરોહિતોના ચોપડાનું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું

આ બેઠકમાં ગૃહમંત્રી અમીત શાહ, પ્રો. જે ડી પરમાર, હર્ષવર્ધન નિઓટીયા અને પ્રવિણભાઇ લહેરીએ રૂબરૂ હાજરી આપી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીએ ઓનલાઇન હાજરી આપી હતી. 



વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Embed widget