શોધખોળ કરો

પાટીદાર બાદ હવે આ સમાજે પણ પોતોના મુખ્યમંત્રી હોવાની માગ કરી, જાણો CM માટે કોના નામ આપ્યા

આ પહેલા નરેશ પટેલે કહ્યું હતું કે, 100 ટકા અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને.

પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવા પાટીદાર બાદ હવે ક્ષત્રિય સમાજમાં માગ ઉઠી છે. રાજપૂત કરણી સેના અધ્યક્ષ જે.પી જાડેજા માગ કરી કે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આઇ.કે. જાડેજા જેવા નેતાઓમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ગુજરાતના વિકાસમાં ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો છે. આ પ્રથમ વખત નથી. અગાઉ ખોડલધામના નરેશ પટેલ પણ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી માગ કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી (2022 gujarat Assembly Election) અગાઉ રાજકોટના (Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) પર પાટીદાર આગેવાનો એકમંચ પર એકઠા થયા હતા. ત્યારે બેઠકમા ઉપસ્થિત રહેવા ખોડલધામ પહોંચેલા ચેયરમેન નરેશભાઈ પટેલે (Khodaldham Chairman Nareshbhai Patel) મોટુ નિવેદન આપ્યું હતું. ખોડલધામના ચેયરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 2022માં પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે.

નરેશ પટેલે કહ્યું હતું કે, 100 ટકા અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને. એટલુ જ નહી, નરેશભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજનો જે અધિકાર બને છે તેની અમે સરકારને રજૂઆત કરીશુ. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી રહેલ આમ આદમી પાર્ટીને પણ ફાયદો થવાની વાત નરેશભાઈ પટેલે કરી હતી. નરેશભાઈ પટેલે જણાવ્યું કે આમ તો ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય ફાવતો નથી.. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી પોતાના પ્રયોગોમાં સફળ રહ્યું છે.. તેને જોતા એવુ લાગે છે કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) ફાયદો થશે.

નોંધનીય છે કે, કાગવડ ખોડલધામમાં મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે હવે પછીની મળનારની પાટીદાર સમાજની તમામ બેઠકમાં કડવા કે લેઉવા નહી લખવામાં આવે. ફક્ત પાટીદાર બેઠક જ લખાશે. એટલુ જ નહી વિશ્વની તમામ પાટીદાર સંસ્થાઓ એક નેજા હેઠળ આવીને ફેડરેશન બને તેવો નિર્ણય લેવામાં આવ્યો. જે ફેડરેશનનું નામ પણ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.પત્રકારોના સવાલના જવાબ આપતા ખોડલધામના ચેયરમેન નરેશ પટેલે ફરીથી ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget