Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર, નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર નહિ દોડે ભારે વાહનો
Bridge collapse:ગંભીરા પુલની ગંભીર દુર્ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે. રાજ્યના કેટલાક જર્જરિત પુલને ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે.

Bridge collapse: ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે તંત્ર ગંભીર બન્યું છે અને જર્જરિત પુલ પર ભારે વાહનની આવનજાવન બંધ કરી છે. વલસાડમાં નેશનલ હાઈવે પરના 5 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. કોલકતા અને તાન નદી પરના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. બંધ કરાયેલા બ્રિજમાં વલસાડ-લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ અને તાન નદીનો બ્રિજનો સમાવેશ થાય છે. વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. નાનાપોંઢા નજીક વડખંભા પાર નદીના બ્રિજને સ્ટેબિલિટી ચેક સુધી બંધ રખાયો છે. ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રિજનું ચેકિંગ કરવા કલેક્ટરે આદેશ આપ્યાં છે. નર્મદા કેનાલ આસપાસના તમામ બ્રિજનું ચેકિંગ કરવાના આદેશ અપાયા છે. બ્રીજનો રિપોર્ટ ત્રણ દિવસમાં તૈયાર કરવાની સૂચના અપાાઇ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું અત્યાર સુધી અધિકારીઓને આ જોખમી બ્રિજનહોતા દેખાતા. જોખમી બ્રિજ હોવા છતા કેમ ભારે વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. શું વલસાડ પ્રશાસન પણ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હતા? કે પછી માત્ર સરકારને રાજી કરવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ ગયો અને 20 લોકોની જિંદગી લેતો ગયો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોમાં 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ વાન થે જ 2-3 બાઇક નદીમાં ખાબક્યાં હતાં. ટ્રક નીચે એક કાર ફણ દબાઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે તો હજુ એક લાપતા છે. ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ધટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. એક નહિ અનેક વખત આવી દુર્ઘટનામાં લોકોની જિંદગી હોમાઇ રહી છે. તો પછી કેમ બ્રિજનના બાંધકામની ગુણવત્તા પર અને સમયે સમયે તેનો ફિટનેસ ટેસ્ટ નથી થતો. આ દુર્ઘટનાને લઇને સરકારે સમિતી રચના કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.





















