શોધખોળ કરો

Ahmedabad Plane Crash:  નડીયાદમાં નિકળી હીનાબેન પટેલની અંતિમયાત્રા, પરિવારનું હૈયાફાટ રુદન 

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 16 વ્યક્તિઓના મોત થયા છે.  ત્યારે આજે નડિયાદના હીનાબેન સૌરભ કુમાર પટેલની અંતિમયાત્રા નીકળી હતી.

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 16 વ્યક્તિઓના મોત થયા છે.  ત્યારે આજે નડિયાદના હીનાબેન સૌરભ કુમાર પટેલની અંતિમયાત્રા નીકળી હતી. હીનાબેન પટેલ તેમની દીકરીના કોલેજના એડમિશન માટે લંડનથી ભારત આવ્યા હતા. નડિયાદમાં 20 દિવસ રોકાયા બાદ 12 તારીખે લંડન જતી વખતે પ્લેન ક્રેશ દુર્ઘટના તેમનું કરુણ મોત થયું હતું.

સમગ્ર પરિવારમાં શોકનો માહોલ

હિનાબેનનો પાર્થિવ દેહ નડિયાદ લાવવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા કલેકટર,  ખેડા જિલ્લા પોલીસ વડા,  ડીવાયએસપી,  મામલતદાર,  પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહી હીનાબેન પટેલના પરિવારજનોને  સાંતવના આપી હતી. નડિયાદના મોટાપોરમાંથી જ્યારે હિનાબેનની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમના પરિવારજનો અને શહેરીજનોમાં કરુણાંતિકા સર્જાઇ હતી. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. મોટી સંખ્યામાં નડિયાદના નાગરિકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. હીનાબેન પટેલને પોતાની દિકરી અને પતિએ મુખાગ્નિ આપી હતી.  

દીકરીના એડમિશન માટે ભારત આવ્યા હતા

અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં નડિયાદના હિનાબેનનું પણ અવસાન થયું છે. હિનાબેન લંડન રહેતા હતા અને તેઓ તેમની દીકરીના એડમિશન માટે ભારત આવ્યા હતા. તેમના નિધનને લઈને હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, હિનાબેન થોડા દિવસ પહેલાં ભારત આવ્યા હતા અને તેમની દીકરીના એડમિશનના કામ માટે ભારત આવવું પડ્યું હતું. તેઓ નડિયાદ આવેલા હતા અને શરૂઆતમાં તેમની પરત લંડન જવાની ટિકિટ 6 જૂનની હતી. જોકે, કોઈ ખાસ કારણસર તેમણે ટિકિટ કેન્સલ  કરાવી અને 12 જૂન માટે બુક કરાવી હતી.  

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી.  જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.           

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget