શોધખોળ કરો

Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

બનાસકાંઠા: કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમા અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, અંબાજી મંદિર ખાતે રોજ હજારોની સંખ્યામાં ભક્તો મા ના આશિર્વાદ લેવા માટે આવે છે. 

બનાસકાંઠા: કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમા અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, અંબાજી મંદિર ખાતે રોજ હજારોની સંખ્યામાં ભક્તો મા ના આશિર્વાદ લેવા માટે આવે છે. 

દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

આવતીકાલથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર તારીખ 10/5/2024 થી લઈને 6/7/2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.

દર્શન અને આરતીના સમયમાં ૠતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી ફેરફાર કરાતો હોય છે

શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના ચરણે શીશ નમાવવા અને માતાજીના આશિર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. મા જગતજનની અંબાના દર્શન અને આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં માઇ ભક્તો મા ના મંદિરે પહોંચે છે. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ૠતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી ફેરફાર કરાતો હોય છે ત્યારે આવતીકાલેથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
 
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર 10/05/24 વૈશાખ સુદ ત્રીજથી 06/07/24 આષાઢ સુદ એકમ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવા જણાવાયું છે.  

આરતી સવારે- 7:00 થી 7:30
દર્શન સવારે- 7:30 થી  10:45 
રાજભોગ આરતી- 12:30 થી 01:00
દર્શન બપોરે- 01:00 થી 4:30
આરતી સાંજે- 7:00 થી 7:30
દર્શન સાંજે- 7:30 થી 9:00

નોંધ :- તારીખ 10/5/2024 થી લઈને 6/7/2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.

અંબાજી શક્તિપીઠ 51 શક્તિ પીઠો પૈકીનું એક છે
અંબાજી મંદિર ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ,બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક આવેલું છે. તે 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી., ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક કાદીયડ્રાથી 50 કિ.મી.ના અંતરે આવેલું છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય તો App કે Photos ડિલીટ કરવાની જરૂર નથી, બસ આટલું કરો
ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય તો App કે Photos ડિલીટ કરવાની જરૂર નથી, બસ આટલું કરો
MPના નર્સિંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી, CBIની ટીમે CBIના જ અધિકારીઓની કરી ધરપકડ
MPના નર્સિંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી, CBIની ટીમે CBIના જ અધિકારીઓની કરી ધરપકડ
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Embed widget