શોધખોળ કરો

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની મોટી આગાહી: ગરમી તો પડશે જબરદસ્ત, પણ ચોમાસું અને વાવાઝોડાનો....

15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત, એપ્રિલમાં અસહ્ય ગરમી પડશે, ચોમાસામાં વારંવાર લો પ્રેશર સર્જાશે: અંબાલાલ પટેલની ભવિષ્યવાણી.

Ambalal Patel monsoon prediction: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. આ ઉપરાંત, તેમણે ગરમી અને રાજકીય સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે."

ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, "જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે."

હવામાનની આગાહી ઉપરાંત, અંબાલાલ પટેલે રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમના કહેવા પ્રમાણે, "આગામી દિવસોમાં રાજકારણની અંદર પણ હલનચલન જોવા મળશે. હોળીના મુહૂર્ત પ્રમાણે રાજકીય પરિસ્થિતિમાં વળાંક આવશે, જે દેશના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે."

વધુમાં, તેમણે દેશમાં "આસુરી સંપત્તિ" વધવાની વાત પણ કરી હતી, જોકે તેમણે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી નથી.

અંબાલાલ પટેલની આ આગાહીઓ ગુજરાત અને દેશના હવામાન અને રાજકારણ પર મોટી અસર પાડી શકે છે. ખેડૂતો અને સામાન્ય જનતાએ આ આગાહીઓને ધ્યાનમાં રાખીને આગામી સમય માટે તૈયારી કરવી જરૂરી છે.

અંબાલાલ પટેલ કોણ છે?

અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમને લોકો ફક્ત તેમના નામથી જ ઓળખે છે. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે આણંદની બી.એસ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસીની ડિગ્રી મેળવી છે.

1972 માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સી અમદાવાદમાં બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા અને ત્યારબાદ મદદનીશ ખેતી નિયામક સુધીની બઢતી મેળવી. સપ્ટેમ્બર 2005 માં તેઓ સરકારી સેવામાંથી નિવૃત થયા.

ખેતી સાથે સંકળાયેલા હોવાથી અંબાલાલ પટેલને જ્યોતિષમાં પણ રસ હતો. ખેડૂતો સાથેની વાતચીતમાં વરસાદનું મહત્વ સમજ્યા બાદ તેમણે જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને હવામાનની આગાહી કરવાનું જ્ઞાન મેળવ્યું. તેમણે 1980 માં પહેલી હવામાનની આગાહી કરી હતી અને ત્યારથી તેઓ નિયમિત રીતે આગાહીઓ કરતા આવ્યા છે.

તેમની આગાહીઓ ક્યારેક વિવાદોમાં પણ રહી છે, જેમ કે ભૂકંપની આગાહીને લઈને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, તેમને અનેક એવોર્ડ અને સન્માન પત્રો પણ મળ્યા છે. હાલમાં સરકાર પણ તેમની પાસેથી હવામાન અંગે માર્ગદર્શન મેળવે છે.

અંબાલાલ પટેલના પરિવારમાં તેમના પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. તેમના એક પુત્ર રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી ચૂક્યા છે અને હાલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજા પુત્ર સતિષ પટેલ ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે, જ્યારે પુત્રી અલ્કા પટેલ બારડોલીમાં સરકારી દવાખાનામાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget