શોધખોળ કરો

News: અમરેલીના ખેડૂતને 1 રૂપિયો ભરવા કોર્ટે ફટકારી કાયદેસરની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાંથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં એક ખેડૂતને માત્ર એક રૂપિયાની ભરપાઇ કરવા માટે કોર્ટ મારફતે નોટિસ અપાઇ છે

Amreli News: ગુજરાતમાંથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં એક ખેડૂતને માત્ર એક રૂપિયાની ભરપાઇ કરવા માટે કોર્ટ મારફતે નોટિસ અપાઇ છે. આ ઘટના પીજીવીસીએલના વીજ કનેક્શન રદ્દ કરવાના કિસ્સા સાથે જોડાયેલી છે. ખરેખરમાં, વાત એમ છે કે, અમરેલી જિલ્લાનાં કુંકાવાવના એક ખેડૂતને પીજીવીસીએલ દ્વારા એક રૂપિયાની નૉટિસ અપાઇ છે. અગાઉ સાત વર્ષ પહેલા કુંકાવાવાના ખેડૂતના ખેતરમાં એક વીજ કનેક્શનને રદ્દ કરવામા આવ્યુ હતુ, જે પછી આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, હવે આ મામલે ખુદ પીજીવીસીએલે કોર્ટ મારફતે કુંકાવાવના ખેડૂતને એક રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે, પાંચ રૂપિયાની ટિકીટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ અપાઇ છે. હવે ખેડૂતે ખેતીકામ છોડીને કોર્ટમાં જવુ પડશે.


News: અમરેલીના ખેડૂતને 1 રૂપિયો ભરવા કોર્ટે ફટકારી કાયદેસરની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

 

માવઠાથી થયેલા પાક નુકસાન અને સર્વેની કામગીરી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટુ નિવેદન

ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલા માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે, વળી, કેટલાય પાકો હવે આગામી સિઝનમાં આવી શકે તેમ નથી, કમોસમી વરસાદના કારણે અનેક નેતાઓ અને સંગઠનોએ સરકાર પાસે ખેડૂતોને મદદ અને સહાય કરવા અંગે રજૂઆત કરી હતી, આ પછી સરકારે સર્વેની કામગીરી શરૂ હતી. જોકે, આ બધાની વચ્ચે હવે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ અને સર્વેની કામગીરી પર મોટુ અપડેટ આપ્યુ છે. તેમને કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ માટે કામ કરી રહી છે. તમામ ધોરણે SDRFના નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ ઉપરાંત યૂરિયા ખાતરને લઇને પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. ગીર સોમનાથ જિલ્લામાં યૂરિયા ખાતરની અછત અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, રવિ સીઝનમાં વાવણી પહેલા ખાતરની માગ ખેડૂતો કરતાં હોય છે, અને આ અંગેની રજૂઆતો પણ અમારી પાસે આવી છે. ગીર સોમનાથ જિલ્લાનો આ પ્રશ્ન પણ મારા ધ્યાન પર આવ્યો છે, પરંતુ હાલમાં યૂરિયા ખાતરની કોઇ અછત નથી. 

આ પહેલા કૃષિ મંત્રી રાઘવજીએ વધુ નુકસાન ન થયાનો દાવો કર્યો હતો

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું હોવાનો પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે. રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી. આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રાઘવજી પટેલે કહ્યું હતું કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી. રવિ સીઝનમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 14 જિલ્લામાં 34 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું

વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેની વાવણી પૂર્ણ થઈ તેને નુકસાન થયું નથી. 10થી 15 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક છે. 5 લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર થયું છે. 2 લાખ હેક્ટરમાં તુવેર પાકનું વાવેતર થયું છે. તુવેરના પાકને નુકસાન થયું હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. રાઘવજી પટેલે કહ્યું હતું કે સર્વે કરવાની સૂચનાઓ આપી દીધી છે. આજથી જ અમારા અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
Embed widget