શોધખોળ કરો
Advertisement
અમૂલનું આ દૂધ ફ્રીઝમાં નહીં મૂકો તો પણ 90 દિવસ સુધી નહીં બગડે, જાણો શું છે કિંમત?
ગુજરાતની અગ્રણી સહકારી દૂધ ડેરી બનાસ ડેરીએ નવું અમૂલ મોતી દૂધ લોન્ચ કર્યું છે. આ દૂધ અનોખું છે અને બનાસ જેરી દ્વારા દાવો કરાયો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના પણ 90 દિવસ પાઉચમાં રહેશે
બનાસકાંઠાઃ ગુજરાતની અગ્રણી સહકારી દૂધ ડેરી બનાસ ડેરીએ નવું અમૂલ મોતી દૂધ લોન્ચ કર્યું છે. આ દૂધ અનોખું છે અને બનાસ જેરી દ્વારા દાવો કરાયો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના પણ 90 દિવસ પાઉચમાં રહેશે તો આ દૂધ નહીં બગડે. ત્રણ મહિના પછી પાઉચમાંથી બહાર કાઢીને તેનો ઉપયોગ કરી શકાશે.
બનાસ ડેરીનો દાવો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના દૂધ ન બગડે તે માટેનું પાઉચ બનાસ ડેરીના સંશોધકોએ બનાવ્યું છે. આ અમૂલ મોતી દૂધના પાઉચથી ગ્રાહકોને દૂધ બગડવાની સમસ્યાથી છૂટકારો મળશે. જેમના ઘરમાં ફ્રીઝ નતી એવાં લોકો માટે આ દૂધ આશિર્વાદરૂપ સાબિત થશે.
એ જ રીતે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં અમૂલનું મોતી દૂધ સૈન્ય અને લોકોના ઉપયો માં આવી શકશે. પ્રવાસે જનારા પણ પોતાની સાથે આ દૂધ રાખી શકશે અને જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરી શકશે.
આ દૂધના 500 મિલિના પાઉચની કિંમત 20 રૂપિયા અને 200 મિલિના પાઉચની કિંમત 9 રૂપિયા છે. હાલમાં આ દૂધ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને છત્તીસગઢમાં લોંચ કરાયું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
દેશ
Advertisement