શોધખોળ કરો

Gujarat Cabinet Expansion: પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના લીધા શપથ

પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. અર્જૂનભાઈ મોઢવાડિયાને મત્યઉદ્યોગ જેવુ મહત્વનું ખાતું મળી શકે છે.

Gujarat Cabinet Expansion 2025 :  ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે. સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં જીતુભાઈ વાઘાણીએ શપથ લીધા હતા. પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. અર્જૂનભાઈ મોઢવાડિયાને મત્યઉદ્યોગ જેવુ મહત્વનું ખાતું મળી શકે છે.  

ભૂપેન્દ્રભાઈ સહિત નવા મંત્રી મંડળમાં કુલ 26 નેતાઓ મંત્રી બન્યા છે.   નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં હંમેશા સૌરાષ્ટ્ર કેંદ્રમાં રહે છે. આ વખતે પ્રદેશ પ્રમુખ અમદાવાદમાંથી બનાવવામાં આવતા ચર્ચાઓ હતી કે કેબિનેટ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના નેતાઓને વધારે પ્રતિનિધિત્વ મળશે.

અર્જૂનભાઈ મોઢવાડિયા રાજકીય સફર

પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે. અર્જૂનભાઈ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કૉંગ્રેસમાં પણ તેઓ દિગ્ગજ નેતા હતા. કૉંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ પણ તેઓ રહી ચૂક્યા હતા. 2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી.

અર્જૂનભાઈ મોઢવાડિયા પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાના સરકારી શાળામાં પૂર્ણ કર્યુ હતું.  બાદમાં 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવેલ છે. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા હતાં. 

મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા. પરંતુ અર્જુન મોઢવાડિયાનો જીવનનો ધ્યેય લોકસેવાનો હતો. એટલે 1993 માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
Embed widget