શોધખોળ કરો
Advertisement
કેશુભાઇ પટેલના અસ્થિનું સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમાં વિસર્જન, 50 જેટલા પરિવારના સભ્યો જોડાયા
ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા.
વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણીસંગમ ખાતે કરવામાં આવેલ. જેમાં સ્વ. કેશુભાઇ પટેલના પરીવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, સાથે ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ, પ્રભાસપાટણના અગ્રણીઓ,તીર્થ પૂરોહિતો સહિત લોકો જોડાયા હતા. આ શાસ્ત્રોક્ત વિધિ ધનંજયભાઇ દવે સાથેના ભુદેવો દ્વારા સંપન્ન કરવામાં આવેલ હતી.
આજરોજ ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા. આ સાથે જ તેમના દીકરી સોનલબેન અને જમાઈ મયુરભાઈ પણ હાજર રહ્યા હતા. આજરોજ અસ્થિ વિસર્જન વિધી વિધામાં કેશુભાઈ પટેલના 50 જેટલા પરિવારના સભ્યો જોડાયા હતા.
નોંધનીય છે કે, 29 ઓક્ટોબરના રોજ ગુજરાતનાં 10માં મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થયુ હતું. ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઇ પટેલને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં એકાએક તેમનું નિધન થયું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement