શોધખોળ કરો

Navratri 2021: નવરાત્રી દરમિયાન અંબાજી અને પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

આસો નવરાત્રી નિમિતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાલિકા મંદિર ટ્રસ્ટ તરફથી સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.

અંબાજી માતાના ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. નવરાત્રી દરમિયાન અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી સવારે 7.30 થી 8 સુધી આરતી તેમજ સવારે 8 થી 11.30 સુધી દર્શન થઇ શકશે. જ્યારે બપોરે 12 વાગ્યે રાજભોગ અને 12.30 થી 4.15 સુધી દર્શન થઇ શકશે. જ્યારે સાંજે 6.30 થી 7 આરતી અને 7 થી રાત્રે 9 સુધી દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આસો સુદ એકમને સવારે 10.30 થી 12.30 ઘટસ્થાપન થશે. જ્યારે આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે અને સવારે 11.10 વાગ્યે ઉત્થાપન થશે. વિજયા દશમીએ સાંજે 6 વાગ્યે પૂજન થશે.

પાવાગઢ મંદિરના દર્શનમાં ફેરફાર

આ તરફ યાત્રાધામ પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રી નિમિતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાલિકા મંદિર ટ્રસ્ટ તરફથી સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 7 ઓક્ટોબરથી મંદિરના દ્વાર સવારે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પાંચમ, આઠમ અને પૂનમના દિવસે  મંદિરના દ્વાર સવારે 4 વાગે ખુલશે. મહત્ત્વનું છે કે, પાવાગઢમાં  મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શને આવે છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં ગઈકાલેકોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલેકોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ગઈકાલે 5,65,747 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 172 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 169 નાગરિકો સ્ટેબલ છે. 8,15,762 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, ગઈકાલેકોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં  6, સુરત  કોર્પોરેશનમાં 4, ભાવનગર 1, સુરત 1, વડોદરા કોર્પોરેશનમાં  1, વલસાડમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget