શોધખોળ કરો
કરજણ પેટા ચૂંટણીઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયું ચપ્પલ, જાણો વિગત
ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે.
![કરજણ પેટા ચૂંટણીઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયું ચપ્પલ, જાણો વિગત Chappal thrown on Dy CM of Gujarat Nitin Patel in Karjan check details કરજણ પેટા ચૂંટણીઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયું ચપ્પલ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/26193500/nitin-patel-shoe.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કરજણઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું અને માઇક પર પડ્યું હતુ. ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું.
ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે.
આ પહેલા નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું.
કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.
થોડા દિવસો પહેલા સુરતમાં પ્રચાર અર્થે ગયેલા ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે વી કાકડિયા પર ઈંડા ફેંકાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)