શોધખોળ કરો

ગુજરાતભરમાં ફૂંકાઈ રહ્યો છે ઠંડો પવન, ત્રણ દિવસ સુધી રહેશે ઠંડકનો માહોલ, જાણો શું છે કારણ ?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના કારણે ઠંડક પ્રસર ગઈ છે.

ગાંધીનગરઃ ગુજરાતના તમામ વિસ્તારોમાં મંગળવારે રાતથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતનાં લોકો ત્રણ દિવસ સુધી આ ઠંડકનો અહેસાસ કરશે કેમ કે આ ઠંડક ‘ગુલાબ’ વાવાઝોડાના કારણે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના કારણે ઠંડક પ્રસર ગઈ છે. આ ઉપરાંત ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. તેના કારણે પણ ગુજરાતમાં ઠંડકનો માહોલ છે. “શાહીન” વાવાઝોડું હાલમાં  ડિપ ડિપ્રેશન છે. આ ડીપ ડીપ્રેશન બુધવારે  વેલમાર્ક લો પ્રેરન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે. ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જામકંડોરણા, ધોરાજી, રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ અને લોધિકા તાલુકામાં રાત્રીના 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કોટડાંસાગાણી તાલુકામાં સાડા ત્રણ ઈંચ, જામકંડોરણામાં અઢી ઈંચ, ધોરાજીમાં બે અને રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે સતત 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કપાસના પાકના મૂળ સળી ગયા છે. પાણી લાગી જવાથી મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. કઠોળનો પાક પણ તૈયાર છે. પરંતુ  જો બે થી ત્રણ દિવસ આજ રીતે વરસાદ પડશે તો કઠોળના પાકમાં પણ નુક્શાન થશે. જો કે વરસાદી માહોલના કારણે રાજકોટના ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે.

જામજોધપુરમાં ભારે વરસાદ

જામનગરના જામજોધપુર પંથકમાં પણ રાત્રે વરસાદ નોંધાયો છે. જાજોધપુરના શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રામવાડી, તિરૂપતિ નગર, સુભાષ ચોક, આઝાદ ચોક,  બેરિસ્ટર ચોક સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોધાયો છે. ગીગણી, સીદસર, બાલવા, ધ્રાફા, વાલાસન, મોટીભરડ સહિત અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો છે.

કચ્છમાં વરસાદ

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં પણ કડાકા સાથે વરસાદ નોંધાયો છે. અમરેલી, બાબરા, લાઠી, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. બાબરાના કરિયાણા, દરેડ, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. લાઠી શહેરમાં પણ વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ છે. તો વડિયા અને સાવરકુંડલામાં પંથકમાં પણ વરસાદ પડ્યો છે. વડિયા શહેરમાં વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઈ છે. તો સાવરકુંડલા શહેરના પણ કેટલા વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget