શોધખોળ કરો

Crime: મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, 30મી જાન્યુ.એ કચ્છમાં પણ આપ્યુ હતુ ભડકાઉ ભાષણ

મુસ્લિમ સમાજના ધર્મ ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરી માટે મોટી આફત આવી છે, તેમની વિરૂદ્ધમાં વધુ એક નોંધવામાં આવ્યો છે

Crime Updates ON Maulana: ગઇ 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની એટીએસે મુંબઇથી શુક્રવારે ધરપકડ કરી હતી, આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. હવે મુફ્તી મૌલાના સલમાન અઝહરીના માથે વધુ એક મોટી આફત આવી છે. આજે કચ્છમાં પણ મુફ્તી સલમાન અઝહરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કચ્છના સામખીયારી પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, કેમ કે ગઇ 30 જાન્યુઆરીએ તેમને આવી જ એક ભડકાઉ સ્પીચ આપી હતી. 

મુસ્લિમ સમાજના ધર્મ ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરી માટે મોટી આફત આવી છે, તેમની વિરૂદ્ધમાં વધુ એક નોંધવામાં આવ્યો છે, મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ સામખીયારી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે આ ગુનો પણ ભડકાઉ ભાષણને લઇને જ નોંધવામાં આવ્યો છે, એટલુ જ નહીં મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કચ્છના સામખીયારીમાં ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો આ કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પણ મૌલાના દ્વારા કેટલાક વિવાદીત ભાષણો કરવામાં આવ્યા હતા. 

થોડાક દિવસો અગાઉ જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક ધર્મ સંમેલન યોજાયુ હતુ, આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીએ મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યુ હતુ, જેના પર કાર્યવાહી કરતાં પોલીસે એફઆઇઆર નોંધી હતી, આ મામલે હવે નવું અપડેટ સામે આવ્યું જેમાં મુફ્તી સલમાન અઝહરીની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસની ટીમ ગઇકાલે રાત્રે મુંબઇમાંથી મુફ્તી સલમાન અઝહરીને ઝડપી પાડ્યો છે. 


Crime: મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, 30મી જાન્યુ.એ કચ્છમાં પણ આપ્યુ હતુ ભડકાઉ ભાષણ

'ભડકાઉ ભાષણ આપનારા મૌલવીને જામીન ના મળવા જોઇએ, કડક સજા થવી જોઇએ', -મોહનદાસ મહારાજ
મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઇને હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મગુરુઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. આજે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ મહારાજેએ મુફ્તી સલમાન અઝહરી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તેમને કહ્યું કે, આવા મૌલાના કે મુફ્તીઓ પર કડક કાર્યવાહી કરવી જોઇએ, મુફ્તી સલમાન અઝહરીને જામીન ના મળવા જોઇએ અને કડક સજા થવી જોઇએ. 

આજે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ મહારાજે જુનાગઢની સભામાં મુફ્તી સલમાન અઝહરી દ્વારા કરાયેલા ભડકાઉ ભાષણ પર વિરોધ નોંધાવ્યો હતો. મોહનદાસ મહારાજે કહ્યું હતુ કે, એવા મૌલવી કે જે ભારતની શાંતિ ભંગ કરે છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. આવા મૌલવી મુફ્તી સલમાન અઝહરી જેવાને છોડવામાં આવશે તો અન્ય બીજી કોઇ જગ્યાએ પણ ભડકાઉ ભાષણ કરશે. સરકાર અને પોલીસને ધન્યવાદ કે તેઓએ આવા મૌલવીને પકડ્યા છે. 
મૌલવીને પોતાની ભાષા ઉપર કંટ્રોલ હોવો જોઈએ. મોહનદાસ મહારાજે વધુમાં કહ્યું કે, મુફ્તી સલમાન અઝહરીને જામીન ના મળવા જોઇએ, અને આકરી સજા ફટકારવી જોઈએ.

શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો - 
થોડાક દિવસો પહેલા જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયુ હતુ, આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યુ હતુ, કેમકે આ સભામાં મુસ્લિમ આગેવાનોઓએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢની કોર્ટ પાસે આવેલી નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગઇ 31 જાન્યુઆરી 2024એ રાત્રિના સમયે 8 થી 12:30 ના સમયગાળા દરમિયાન મુસ્લિમ સમાજની સભા યોજાઇ હતી, જેમાં મુંબઇ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સ્પીચનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસે શુક્રવારે જાતે જ ફરીયાદી બનીને ગુનો નોંધ્યો હતો. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાંGujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp AsmitaGir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાંParesh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ છે 10 કોમન Password અને PINs છે, સેકન્ડોમાં થઈ જાય છે ક્રેક, જુઓ ક્યાંક તમે તો આ પાસવર્ડ કે પિન નથી રાખ્યો ને?
આ છે 10 કોમન Password અને PINs છે, સેકન્ડોમાં થઈ જાય છે ક્રેક, જુઓ ક્યાંક તમે તો આ પાસવર્ડ કે પિન નથી રાખ્યો ને?
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
Embed widget