શોધખોળ કરો

'બાધવા તૈયાર રહેજો...' દેવાયત ખવડની ડાયરાના આયોજકેનો ખુલ્લી ચેતવણી, કહ્યું - હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું

કાર જપ્તી અને પોલીસ ફરિયાદ મુદ્દે લોક કલાકાર અને આયોજક વચ્ચે ટેલિફોનિક વાતચીત લીક, એબીપી અસ્મિતા દ્વારા પુષ્ટિ નહીં.

Devayat Khawad car attack: લોક કલાકાર દેવાયત ખવડ પર થયેલા કાર હુમલાનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટનાને લઇને દેવાયત ખવડ અને ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ આયોજક ભગવતસિંહ ચૌહાણને પડકાર ફેંકતા સંભળાય છે, જેના કારણે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ આક્રોશમાં કહે છે, “મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો. મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો.” તેઓ વધુમાં ઉમેરે છે, “તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. મેં સંબંધમાં ડાયરાની હા પાડી હતી, હું બોલ બચ્ચન નથી.” દેવાયત ખવડ ઓડિયો ક્લિપમાં એવો પણ આક્ષેપ કરે છે કે “111 નંબરની સ્કોર્પિયો લઈને ધ્રુવરાજસિંહ આવ્યો અને મારી ગાડીનો કાચ ફોડી નાખ્યો.” પોતાની ઓળખ આપતા દેવાયત કહે છે, “હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું.” અને ભારપૂર્વક જણાવે છે કે તેઓ માત્ર “એક કલાક મોડો પડ્યો હતો.”

સામે પક્ષે ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ પણ ઓડિયો ક્લિપમાં પોતાનો પક્ષ રજૂ કરતા સંભળાય છે. તેઓ દેવાયતને પૂછે છે, “અમે તમને કેટલા કોલ કર્યા?” જેના જવાબમાં દેવાયત કહે છે કે મેઘરાજસિંહનો કોલ આવ્યો ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે “હું અસલાલી પહોંચ્યો છું.” વાતચીતના અંતમાં ભગવતસિંહ દેવાયતને સીધો સવાલ કરે છે, “હવે તમારે શું કરવાનું છે જણાવો?” જેના પ્રતિભાવમાં દેવાયત ખવડ ફરીથી પડકાર ફેંકતા કહે છે, “મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો, મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો...”

ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ એબીપી અસ્મિતા દ્વારા સ્વતંત્ર રીતે ખરાઈ કરવામાં આવી નથી અને તેની સત્યતા અંગે પુષ્ટિ કરવામાં આવતી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયરલ થવાથી દેવાયત ખવડ કાર હુમલા કેસ વધુ ચર્ચામાં આવ્યો છે અને લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો....

એક જ દિવસે બે ડાયરા કરવા મુદ્દે દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો, કહ્યું - મેં કોઈ ખોટું કામ નથી કર્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
Embed widget