શોધખોળ કરો

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી,રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઇ છે. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો.

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઇ છે. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

કાશ્મીર અને દિલ્હીમાં 5.5ની તિવ્રતાનો ભૂકંપ

દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર ઘાટીમાં સાંજે લગભગ 7.59 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5 ની હોવાની માહિતી સામે આવી છે. આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાની વાત સામે આવી છે.

આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો બીજી તરફ, પાકિસ્તાનના લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની ઉંડાઈ એપી સેન્ટર કરતા વધારે હતી, જેના કારણે આંચકા દૂર દૂર સુધી અનુભવાયા હતા.

રવિવારે પણ દિલ્હી હચમચી ગયું હતું

આ પહેલા રવિવારે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈને ઈજા કે નુકસાનના સમાચાર નહોતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે હરિયાણાના ઝજ્જરમાં રવિવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંચકા સાથે 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં હતું

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં બપોરે 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.

સંમેદ શિખરજી મામલે જૈન સમાજના વિરોધ બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

સંમેદ શિખરજી પર્વત વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્વ વાળા પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમાજ સતત પ્રદર્શન કરી રહ્યો હતો, જે બાદ હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય મંત્રી સાથે જૈન સમાજની બેઠક
વાસ્તવમાં, લાંબા સમયથી જૈન સમાજના લોકો દેશભરમાં આંદોલન ચલાવી રહ્યા હતા, તેમની માંગ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની પહાડીમાં સ્થિત સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવાની હતી. કારણ કે ત્યાં માંસ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને જૈન સમાજના તમામ પદાધિકારીઓ પ્રવાસન મંત્રી ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. જે બાદ તેમણે જૈન સમુદાયને ખાતરી આપી હતી કે તેમની ધાર્મિક લાગણીનું ધ્યાન રાખવામાં આવશે.

જૈન સમાજે આંદોલન છેડ્યું
પારસનાથ કેસમાં કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ અંગે જણાવાયું છે કે રાજ્ય સરકારે જૈન સમાજના બે સભ્યોને સમિતિમાં સામેલ કરવા જોઈએ. સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યને પણ સામેલ કરો. એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યએ 2019ના નોટિફિકેશન પર કાર્યવાહી કરવી જોઈએ. પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજના આંદોલનનો અંત આવ્યો છે. પાલિતાણા જૈન તીર્થધામના વડાએ જણાવ્યું કે તેઓ આજે ભૂપેન્દ્ર યાદવજીને મળ્યા હતા, ત્યારપછી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર
અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget