શોધખોળ કરો

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી,રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઇ છે. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો.

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઇ છે. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

કાશ્મીર અને દિલ્હીમાં 5.5ની તિવ્રતાનો ભૂકંપ

દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર ઘાટીમાં સાંજે લગભગ 7.59 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5 ની હોવાની માહિતી સામે આવી છે. આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાની વાત સામે આવી છે.

આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો બીજી તરફ, પાકિસ્તાનના લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની ઉંડાઈ એપી સેન્ટર કરતા વધારે હતી, જેના કારણે આંચકા દૂર દૂર સુધી અનુભવાયા હતા.

રવિવારે પણ દિલ્હી હચમચી ગયું હતું

આ પહેલા રવિવારે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈને ઈજા કે નુકસાનના સમાચાર નહોતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે હરિયાણાના ઝજ્જરમાં રવિવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંચકા સાથે 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં હતું

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં બપોરે 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.

સંમેદ શિખરજી મામલે જૈન સમાજના વિરોધ બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

સંમેદ શિખરજી પર્વત વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્વ વાળા પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમાજ સતત પ્રદર્શન કરી રહ્યો હતો, જે બાદ હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય મંત્રી સાથે જૈન સમાજની બેઠક
વાસ્તવમાં, લાંબા સમયથી જૈન સમાજના લોકો દેશભરમાં આંદોલન ચલાવી રહ્યા હતા, તેમની માંગ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની પહાડીમાં સ્થિત સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવાની હતી. કારણ કે ત્યાં માંસ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને જૈન સમાજના તમામ પદાધિકારીઓ પ્રવાસન મંત્રી ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. જે બાદ તેમણે જૈન સમુદાયને ખાતરી આપી હતી કે તેમની ધાર્મિક લાગણીનું ધ્યાન રાખવામાં આવશે.

જૈન સમાજે આંદોલન છેડ્યું
પારસનાથ કેસમાં કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ અંગે જણાવાયું છે કે રાજ્ય સરકારે જૈન સમાજના બે સભ્યોને સમિતિમાં સામેલ કરવા જોઈએ. સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યને પણ સામેલ કરો. એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યએ 2019ના નોટિફિકેશન પર કાર્યવાહી કરવી જોઈએ. પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજના આંદોલનનો અંત આવ્યો છે. પાલિતાણા જૈન તીર્થધામના વડાએ જણાવ્યું કે તેઓ આજે ભૂપેન્દ્ર યાદવજીને મળ્યા હતા, ત્યારપછી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં મોટો ભૂકંપ: દાહોદ, મોરબી, પાટણ બાદ સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપના ગઢમાં ગાબડાં: 4 જિલ્લામાં નેતાઓએ કેસરીયો છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
Embed widget