શોધખોળ કરો

ભારે વરસાદ બાદ ખેડૂતો ધોવાયા, સતત વરસાદ વરસતા પાકને વ્યાપક નુકસાન થયું

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં નદીમાં આવેલા પૂરના કારણે ખેતરોમાં ઉભા કેળાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

અમદાવાદઃ સતત વરસાદ વરસતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદ ઉઠી છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. તો ક્યાંક પૂરના કારણે પાક ધોવાયો છે. રાજકોટની વાત કરીએતો જિલ્લામાં સિઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. પડધરી તાલુકાના સુવાગ ગામમાં છેલ્લા એક મહિનાથી અહીં સતત વરસાદ વરસતા મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. મોરબી નજીક આવેલ વનાળીયા ગામમાં જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ મચ્છુ-2 ડેમમાંથી છોડાયેલા પાણીએ અહીંના ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. નદી કાંઠાના ખેતરોની સ્થિતિ એવી છે કે, વધુ પાણીના કારણે ઉભો પાક સુકાઈ ગયો છે. મહીસાગરમાં કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણીએ ખેડૂતની મેહનત પર પાણી ફેરવી દીધું છે. શહેરા તાલુકાના મહી નદી કાંઠે આવેલા બીલીથા, બોરડી, સાદરા નાથુજીના મુવાડા, પોયડા, બાકરિયા, રામગઢી, હડકાઇ માતાના મુવાડા સહિતના અનેક ગામોના ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. અનેક ખેતરોમાં કમરસમા પાણી ભરાયા છે. જેના કારણે મકાઈ, ડાંગર, સોયાબીન, તલ શાકભાજી જેવા પાકને મોટું નુકશાન થયું છે. નદીકાંઠેના અંદાજીત 800 હેક્ટર ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે. ગત વર્ષે પણ આજ પ્રકારની તારાજીને કારણે ખેડૂતોને 900 હેક્ટર જમીનમાં વાવેલ પાક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ગત વર્ષની નુકશાની વેઠી ચૂકેલા ખેડૂતો માંડ બેઠા થયા છે. ત્યાંજ ફરી મહામૂલો પાક પાણીમાં ધોવાતાં ખેડૂતની હાલત દયનિય બની છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં નદીમાં આવેલા પૂરના કારણે ખેતરોમાં ઉભા કેળાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગત સીઝનમાં કેળાના વાવેતર બાદ ખેડૂતોની આશાઓ પર લોકડાઉને પાણી ફેરવી દીધું હતું. તો આ સીઝનમાં નર્મદાના પૂરને કારણે પાક ધોવાઈ ગયો છે. આ સમસ્યા કોઈ એક પાક કે એક ગામની નથી પણ નદી કાંઠાના અનેક ગામની છે. પૂરના કારણે જિલ્લામાં 3 હજાર હેકટરમાં નુકસાન થયાનો ખેતીવાડી વિભાગનો પ્રાથમિક અંદાજ છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો જુના સાવર ગામની હજારો વીઘા જમીનોમાં ત્રણ નદીઓના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાક બરબાદ થઈ ચુક્યો છે. અમરેલી જિલ્લામાં મોટાભાગે કપાસ,તલ સહિતના પાકને ભારે નુકશાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Embed widget