શોધખોળ કરો

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત, ભાવનગરના પિતા-પુત્ર ગુમ

આતંકી હુમલામાં ભાવનગરના એક વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે.

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે. પહલગામમાં થયેલા આ આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે. જ્યારે ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ હતી. સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું પણ મોત થયું છે. તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા. આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી લાગી છે.  

આતંકી હુમલામાં ભાવનગરના એક વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. મોરારીબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું. મૃતક શૈલેષના પિતા સુરત આવવા માટે રવાના થઈ ગયા છે. શૈલેષના મૃતદેહને સુરત લાવવામાં આવશે અને સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પિતા-પુત્ર સંપર્કવિહોણા

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકો પણ સંપર્કવિહોણા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. યતીનભાઇ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.  યતિષભાઈ પરમાર અને તેમના દિકરા સ્મિત પરમાર અને તેમના માતા કાજલબેન પરમાર શ્રીનગર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા.  પરિવારમાં માત્ર કાજલબેન પરમારનો સંપર્ક થઈ શક્યો છે જેમની સાથે ભાવનગરના પરિવારે વાતચીત કરી હતી.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઇ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ જણાવ્યું હતું કે, 16 તારીખે મારા પપ્પા અહીંયાથી 15 દિવસના ટુર માટે ગયા હતા, જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરારીબાપુની કથા સાંભળવાની હતી. ત્યાર પછી વૈષ્ણોદેવી દર્શન માટે જવાના હતા. બાદમાં 30 એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા. તેઓ પહલગામના આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની સ્થિતિ સારી છે. મારી મમ્મી સાથે વાત થઇ છે.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે મોટા સમાચાર: આવતીકાલ 23 માર્ચથી ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ!
ખેડૂતો માટે મોટા સમાચાર: આવતીકાલ 23 માર્ચથી ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ!
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ
પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Pakistan: હોર્મુઝ સંકટથી પાકિસ્તાનનો નીકળ્યો દમ, ઇંધણના ભાવમાં 200 ટકાનો કરાયો વધારો
Pakistan: હોર્મુઝ સંકટથી પાકિસ્તાનનો નીકળ્યો દમ, ઇંધણના ભાવમાં 200 ટકાનો કરાયો વધારો
Embed widget