શોધખોળ કરો

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત, ભાવનગરના પિતા-પુત્ર ગુમ

આતંકી હુમલામાં ભાવનગરના એક વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે.

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે. પહલગામમાં થયેલા આ આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે. જ્યારે ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ હતી. સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું પણ મોત થયું છે. તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા. આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી લાગી છે.  

આતંકી હુમલામાં ભાવનગરના એક વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. મોરારીબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું. મૃતક શૈલેષના પિતા સુરત આવવા માટે રવાના થઈ ગયા છે. શૈલેષના મૃતદેહને સુરત લાવવામાં આવશે અને સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પિતા-પુત્ર સંપર્કવિહોણા

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકો પણ સંપર્કવિહોણા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. યતીનભાઇ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.  યતિષભાઈ પરમાર અને તેમના દિકરા સ્મિત પરમાર અને તેમના માતા કાજલબેન પરમાર શ્રીનગર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા.  પરિવારમાં માત્ર કાજલબેન પરમારનો સંપર્ક થઈ શક્યો છે જેમની સાથે ભાવનગરના પરિવારે વાતચીત કરી હતી.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઇ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ જણાવ્યું હતું કે, 16 તારીખે મારા પપ્પા અહીંયાથી 15 દિવસના ટુર માટે ગયા હતા, જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરારીબાપુની કથા સાંભળવાની હતી. ત્યાર પછી વૈષ્ણોદેવી દર્શન માટે જવાના હતા. બાદમાં 30 એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા. તેઓ પહલગામના આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની સ્થિતિ સારી છે. મારી મમ્મી સાથે વાત થઇ છે.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget