શોધખોળ કરો

PM મોદીની 12મે ના એક દિવસીય ગુજરાતની મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

પીએમ મોદીનો એક દિવસીય ગુજરાતની મુલાકાતનો સમગ્ર કાર્યક્રમ

  • PM મોદી 12મેં ના રોજ એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર 3 કાર્યક્રમમાં હાજરી આપશે.
  • 12મેના રોજ પ્રધાનમંત્રી સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે.
  • 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.
  • 12 વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં આપશે હાજરી
  • શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી.
  • મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે.
  • રાજભવનમાં 1.30 થી 2.30  સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી.
  • પ્રધાનમંત્રી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક.
  • પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે.
  • ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક.
  • PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
  • અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.

7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.



કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. લગભગ 3900 પ્રોજેક્ટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર BISAG દ્વારા કનેક્ટિવિટીની કાર્યવાહી કરવામાં આવશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા આવાસ બનાવાયા ?

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 7.50 લાખ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
ગુજરાતમાં UCC ની તૈયારીઓ તેજ: સરકારે રિપોર્ટ સ્વીકાર્યો, 24 માર્ચે વિધાનસભામાં રજૂ થશે ઐતિહાસિક વિધેયક!
ગુજરાતમાં UCC ની તૈયારીઓ તેજ: સરકારે રિપોર્ટ સ્વીકાર્યો, 24 માર્ચે વિધાનસભામાં રજૂ થશે ઐતિહાસિક વિધેયક!
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓના રસ્તા થશે ચકાચક, મુખ્યમંત્રીએ ₹1185 કરોડ મંજૂર કર્યા
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓના રસ્તા થશે ચકાચક, મુખ્યમંત્રીએ ₹1185 કરોડ મંજૂર કર્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Embed widget