શોધખોળ કરો

‘ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો’: ગોરધન ઝડફિયાનો ખુલાસો

નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરતા ઝડફિયાએ કહ્યું, સમાજ માટે વાત કરી હતી, લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું.

Gordhan Zadafia alcohol remark: "ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો" નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયેલા ગુજરાતના રાજકારણી ગોરધન ઝડફિયાએ આ મુદ્દે ખુલાસો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ નિવેદન સમાજના એક કાર્યક્રમમાં સમાજ માટે કરવામાં આવ્યું હતું અને તેનો કોઈ ખોટો હેતુ નહોતો. જો તેમના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માંગવા પણ તૈયાર છે.

ગોરધન ઝડફિયાએ પોતાના ખુલાસામાં જણાવ્યું હતું કે, "સમાજનો કાર્યક્રમ હતો એટલે સમાજ માટે વાત કરી હતી અને મેં દરેક સમાજની વાત કરી હતી. આગામી દિવસોમાં સમાજ સામે વ્યસન સહિતના ખૂબ મોટા પડકારો આવી રહ્યા છે." તેમણે ઉમેર્યું હતું કે, "મેં એવા કોઈ ખોટા હેતુ સાથે વાત કરી નહોતી. મારો સમાજ ગૌરવશાળી સમાજ છે. પાટીદાર સમાજની શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓમાં દરેક સમાજને લાભ મળે છે."

ઝડફિયાએ વધુમાં કહ્યું હતું કે, "પરંતુ, આપણે ક્યાં જઈને અટકવું તે ચોક્કસપણે સમાજે વિચારવું પડશે. આ મારું સૂચન છે, મને મારા સમાજને પણ કહેવાનો અધિકાર નથી. દરેક સમાજ માટે મેં મારા હૃદયની પીડા વ્યક્ત કરી છે. દરેક સમાજ અને પરિવારે ચિંતન કરવું જોઈએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "એજ્યુકેશન એટલે માત્ર ડિગ્રી નહીં પરંતુ, પગ પર ઊભા રહેવું, સ્ટાર્ટ અપ અને ઇનોવેશન છે."

પોતાના નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો માફી માંગતા ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે, "મારા વક્તવ્યથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. મારી ટિપ્પણી એક સમાજ માટે નથી, દરેક સમાજ માટે છે."

આમ, ગોરધન ઝડફિયાએ તેમના નિવેદન પર સ્પષ્ટતા રજૂ કરી છે અને સમાજના પડકારો વિશે ચિંતા વ્યક્ત કરતા તમામ સમાજોને સાથે મળીને વિચારવાની અપીલ કરી છે. સાથે જ, તેમણે પોતાના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી પણ માંગી છે.

નોંધનીય છે કે, સુરતમાં મહિલા PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા દારૂના વ્યસન અંગે કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેરમાં આ મુદ્દે ભારપૂર્વક વાત કરી હતી. તેમણે યુવાનોને "પીળું પાણી" છોડી દેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.

કડીમાં આયોજિત 57મા સમૂહલગ્ન પ્રસંગે સંબોધન કરતા ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, "ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે 21મી સદી ચાલી રહી છે, પરંતુ જ્યારે તમારા ઘરમાં રહેલ દીકરી અથવા પત્નીને પૂછી જોજો એ પછી તેનું પરિણામ શું આવે છે." તેમણે ઉમેર્યું કે, સમાજમાં પરિવર્તન લાવવું જરૂરી છે અને જો નેતાઓ પરિવર્તન ન લાવી શકે તો તેમણે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી. ઝડફિયાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજના ડિજિટલ યુગમાં શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી. તેમણે સમાજને વાડી કે ભવન બનાવવાને બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું. વધુમાં, તેમણે યુવાનોને બાપદાદાઓની જમીનનું રક્ષણ કરવા અને માત્ર જરૂરિયાત હોય તો જ વેચવા, ખાસ કરીને મોજશોખ માટે વેચવાનું ટાળવા સલાહ આપી હતી.

આ પણ વાંચો....

પાટીદાર સમાજનાં લોકો પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોઈ તો બંધ કરી દેજો, ગોરધન ઝડફિયાની ટકોર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Embed widget