શોધખોળ કરો

Pahalgam Terror Attack: ગુજરાત સરકારની જાહેરાત, મૃતકના પરિવારને પાંચ લાખ અને ઈજાગ્રસ્તને 50 હજારની સહાય અપાશે

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુ:ખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી પટેલે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું હતું કે, 'ગુજરાત સરકાર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરે છે. સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે ભાવનગરની જશે

આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતના શૈલેષ કળથિયા પણ આ હુમલાનો ભોગ બન્યા હતા. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પટેલ ગુરુવારે ભાવનગર જશે જ્યાં તેઓ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપશે અને તેમના પરિવારના સભ્યોને મળશે.

પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ મોડી રાત્રે ભાવનગર લવાયા હતા. આજે અંતિમયાત્રામાં શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી પણ ભાવનગર જશે. અમદાવાદ એરપોર્ટ પર નેતાઓ, CISFના જવાનોએ મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. બંનેની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે.

ઉલ્લેખનીય છે કે પહલગામ જમ્મુ અને કાશ્મીરનું એક મુખ્ય પર્યટન સ્થળ છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. આ પ્રકારના આતંકવાદી હુમલાએ ફરી એકવાર સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Embed widget