Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.92 ટકા
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 230 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2275 પર પહોંચી ગયો છે.
![Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.92 ટકા gujarat corona cases 230 new cases of corona reported in last 24 hours in gujarat Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.92 ટકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/26/3aebf24c75117435945023f561c15cd0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 230 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2275 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 23 લોકો વેન્ટીલેટર પર છે. 2252 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209148 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,926 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 22, વડોદરા 16, રાજકોટ કોર્પોરેશનમાં 11, બનાસકાંઠા 8, આણંદ 6, ડાંગ 6, ગાંધીનગર કોર્પોરેશન 6, મહેસાણા 6, રાજકોટ 6, ભરુચ 5, પાટણ 5, સાબરકાંઠા 5, અમદાવાદ 4, સુરત 3, સુરત કોર્પોરેશન 3, અરવલ્લીમાં 2, દાહોદ 2, ખેડા 2, મોરબી 2, પંચમહાલ 2, તાપી 2 અને વલસાડમાં 2 કેસ નોંધાયા છે.
આજે 491 દર્દીઓ રિકવર થયા
બીજી તરફ આજે 491 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.92 ટકાએ પહોંચ્યો છે. આજે 91,689 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 2 કોરોના દર્દીનું મોત થયું હતું.
રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 15 ને પ્રથમ અને 18 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2041 ને પ્રથમ અને 5826 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9032 ને પ્રથમ અને 32814 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 2314 ને પ્રથમ અને 30187 ને બીજો ડોઝ અપાયો હતો. 9442 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 91,689 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,29, 24,674 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)