શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 244 નવા કેસ નોંધાયા, 355 દર્દીએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 244 નવા કેસ નોંધાયા હતા.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 244 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.43 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 355 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,56,670 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2379 એક્ટિવ કેસ છે, જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર અને 2355 લોકો સ્ટેબલ છે. આજે મહિસાગરમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4395 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 64, અમદાવાદ કોર્પોરેશનમાં 53, રાજકોટ કોર્પોરેશનમાં 35 , સુરત કોર્પોરેશનમાં 30, વડોદરામાં 11, મહેસાણા 7, રાજકોટ 7, કચ્છ 5, આણંદ-4, ગાંધીનગર 4, ગાંધીનગર કોર્પોરેશન-4, જામનગર કોર્પોરેશન-4, સાબરકાંઠા 3 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 5,55,179 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 13,625 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement