શોધખોળ કરો

Gujarat corona update : આજે કોરોનાના 19 કેસ નોંધાયા, 6 લાખથી વધુ લોકોનું રસીકરણ

ગુજરાત (Gujarat)માં આજે કોરોનાના (Corona) 19 કેસ નોંધાયા છે. તેની સામે 13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,275 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

અમદાવાદઃ ગુજરાત (Gujarat)માં આજે કોરોનાના (Corona) 19 કેસ નોંધાયા છે. તેની સામે 13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,275 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 152 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 145 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10082 લોકોના મોત નીપજ્યા છે. 


રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યામાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રસીકરણની વાત કરીએ તો આજે  6,01,254 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આમ, અત્યાર સુધીમાં 4,97,04,707 લોકોને રસી આપવામાં આવી છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 3, કચ્છ 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1 કેસ નોંધાયો છે. રાજકોટ કોર્પોરેશમાં 2 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

ગુજરાત સરકારના કર્મચારીઓને રુપાણી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં જંગી વધારો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યની વિજય રૂપાણી સરકારે કર્મચારીઓને 28 ટકા ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. 


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થયો છે.  પ્રણાલી અનુસાર ગુજરાત સરકાર પણ ભારત સરકારના મોંઘવારી ભથ્થા વિચારણા કરે છે અને ચૂકવે છે. હાલ સુધી 17 ટકા મોંઘવારી ભથ્થું સરકારી અધિકારી કર્મચારીઓને ચૂકવાતું હતું. કેન્દ્ર સરકારે 11 ટકાના વધારા સાથે 28 ટકાનું ભથ્થું નક્કી કર્યું તે મુજબ અમે પણ 28 ટકા ભથ્થું આપીશું.


ભારત સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે પણ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મહત્વનું છે કે પહેલા 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું હવે તેમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. 


નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો થવાનો છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે હવે દરેક કર્મચારીઓ અને પેન્શનર્સને 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. નાયબ મુખ્યમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget