શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આજે 980 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 80 ટકા
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 85678 થઈ ગઈ છે અને અત્યાર સુધી 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે કોરોનાના 1212 નવા કેસ નોંધાયા છે અને વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2883 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 85678 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 980 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14538 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 14453 લોકો સ્ટેબલ છે.
સુરત કોર્પોરેશનમાં આજે 166 કેસ નોંધાયા હતા. તેની સામે 183 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 157 કેસ નોંધાયા અને સામે 157 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 980 લોકો ડિસ્ચાર્જ થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 94, જામનગર કોર્પોરેશન 72,સુરતમાં 72, અમરેલી - 67, રાજકોટ કોર્પોરેશનમાં 64, પંચમહાલ 36, ભાવનગર કોર્પોરેશનમાં 35, રાજકોટ-35, ભરુચ-32, વડોદરા-28, મહેસાણા-26, કચ્છ-24, ભાવનગર-23, અમદાવાદ-22, ગીર સોમનાથ-18, આણંદ-16, બનાસકાંઠા-16, જુનાગઢ-16, જુનાગઢ કોર્પોરેશન-16, મોરબી-16, દાહોદ-14, ગાંધીનગર-14, ગાંધીનગર કોર્પોરેશન-13, પાટણ-13, દેવભુમિ દ્વારકા-10, પોરબંદર- 10, ખેડા-9, નર્મદા-9, સુરેન્દ્રનગર-9, તાપી-9, જામનગર-8, મહીસાગર-8, બોટાદ-7, નવસારી-7, સાબરકાંઠા-7, વલસાડ-6, અરવલ્લી-3, છોટા ઉદેપુર-3, ડાંગ-2 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion