Gujarat Election : ભાજપના કયા સાંસદે વિધાનસભાની ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઇચ્છા? જાણો શું કહ્યું?
ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નાંદોદ વિધાનસભા બેઠક માટે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું પાર્ટી ટીકીટ આપશે તો લડવા માટે તૈયાર છું.
Gujarat Election : ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નાંદોદ વિધાનસભા બેઠક માટે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું પાર્ટી ટીકીટ આપશે તો લડવા માટે તૈયાર છું. નાંદોદ વિધાનસભા મારી કર્મ અને જન્મભૂમિ છે. ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાની હોઈ, પાર્ટી ટીકીટ આપે તો લડવાની ઇચ્છા વ્યક્ત કરી.
વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ જીલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના સંભવિત ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધિત યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. જે લેટર વાયરલ થયો છે એમાં કોઈ સત્ય નથી. કેટલાક મહત્વકાંક્ષી લોકોએ આ કૃત્ય કર્યું હોવાનો સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો પણ કર્યો હતો.
Gujarat Election : પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે કે નહીં? જાણો શું આપ્યું મોટું નિવેદન?
સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. ભાજપ, આપ અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓએ અલ્પેશ કથીરીયાનો સંપર્ક કર્યો હતો. રાજકીય કારકિર્દી શરૂ કરવા આમંત્રણ આપ્યું છે. ભાજપમાં જોડાય તેવી લોક ચર્ચાને અલ્પેશે નકારી. સોશિયલ મીડિયામાં માત્ર વાતો થઈ રહી છે જે સત્યથી વેગડું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા મુદ્દે અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી હતી.
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ કરી નાખે તો રાજકારણમાં જવા અંગે વિચારશું. સત્તા પક્ષ કે વિપક્ષ આ બંનેમાંથી કોઈ પણ બે મુદ્દાનો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારશું. ગોપાલ ઇટાલિયા ને પરેશાન કરાય છે. અટલ બિહારી વાજપાઈ અને અડવાણી સમયની રાજનીતિ થવી જોઈએ, બદલાની ભાવના ન હોવી જોઈએ.
ઇટાલિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ કે અન્ય પક્ષો ચૂંટણીના સમયમાં આ બધી વાતો આવતી હોય છે. વર્તમાન સમયની અંદર અમારી માંગણી સ્પષ્ટ છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો અને શહીદ પરિવારને નોકરી, બંને મુદ્દે ભાજપ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે કે નથી કરતી. આ બે માંગણી સંતોષે છે કે નહીં, આ પછી અમે રાજકીય દિશાના નિર્ણય લેશે. આ પછી આગામી દિવસોમાં નક્કી કરીશું કે, રાજકારણમાં જવું જોઇએ કે નહીં. ચૂંટણી લડવી જોઇએ કે નહીં. દરેક પ્રકારની વાતો છે તે અમારા આગેવાનો, અમારી સંસ્થા અને સમિતી સાથે બેસીને નક્કી કરીશું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
and tablets