શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો  

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા ઘણા સમયથી સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકારે લોકોને મોટી રાહત આપી છે.   કોરોના સંક્રમણ નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા ઘણા સમયથી સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકારે લોકોને મોટી રાહત આપી છે.   કોરોના સંક્રમણ નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.  ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી.નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે. 

રાજ્યમાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. આ ઉપરાંત બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2 માર્ચ-2022 થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. 

ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. 31 માર્ચ 2022 સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી મતી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ નિયંત્રણો અને છૂટછાટ અંગે ગૃહ વિભાગનું તેમજ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 117  કેસ

ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 117  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1820  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 22 લોકો વેન્ટીલેટર પર છે. 1798 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209878 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,930 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 10, વડોદરા 8, સુરત 7, ગાંધીનગર  કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, અમદાવાદ 3, આણંદ 3 કેસ  નોંધાયા છે.

આજે 344 દર્દીઓ રિકવર થયા 

બીજી તરફ આજે 344 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.96  ટકાએ પહોંચ્યો છે. આજે 31021 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
Vav-Tharad: ગેનીબેન ઠાકોરના અપમાનથી કોંગ્રેસ આક્રમક, રેલી યોજી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહનનો કર્યો પ્રયાસ
Vav-Tharad: ગેનીબેન ઠાકોરના અપમાનથી કોંગ્રેસ આક્રમક, રેલી યોજી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહનનો કર્યો પ્રયાસ

વિડિઓઝ

Ambalal Patel Forecast: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
Mahisagar Unseasonal Rains: મહીસાગર જિલ્લામાં સવારે ખાબક્યો વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં
New Bengal Government Oath Ceremony: પ.બંગાળમાં નવી સરકારના ગઠનને લઈ મોટા સમાચાર
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજનું બન્યું પ્રથમ બંધારણ
Gujarat Unseasonal Rains: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં ક્યાં પડ્યું માવઠું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
Rain alert: ભારે તોફાન અને વાવાઝોડા સાથે દેશના 19 રાજ્યોમાં વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain alert: ભારે તોફાન અને વાવાઝોડા સાથે દેશના 19 રાજ્યોમાં વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા! 65000 લધુત્તમ પગાર, જાણો OPS, ભથ્થા, ગ્રેચ્યુટી પર શું છે અપડેટ 
8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા! 65000 લધુત્તમ પગાર, જાણો OPS, ભથ્થા, ગ્રેચ્યુટી પર શું છે અપડેટ 
Embed widget